ગાંધીનગર,
ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ બજેટને લઇને પ્રતિક્રિયા આપી હતી. જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વનું છઠ્ઠુ અર્થતંત્ર બન્યુ. બજેટમાં તમામ જ્ઞાતિ સહીત તમામ વર્ગોને ધ્યાનમાં લેવામાં આવ્યા. સામાન્ય વર્ગને ધ્યાનમાં લઇને ઝીરો ટકા કરની આવક મર્યાદા વધારીને પાંચ લાખ કરવામાં આવી. રોકાણકારોને દોઢ લાખ સુધી કરમુક્ત કરવામાં આવ્યા. ખેડૂતોને દેવામાંથી મુક્ત કરવા માટે કિશાન સ્ન્માન યોજના અંતર્ગત લાભો આપવામાં આવ્યા.