સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી આવિર્ભાવ સોસાયટીમાં પત્ની અને પતિ વચ્ચે લોહીયાળ ઝઘડો સર્જાયો હતો. જેમાં પતિ દિનેશને આંખની આસપાસ ગંભીર ઈજા પહોંચી હતી. જેથી પતિ દિનેશભાઇ સંકેતભાઈ પુરોહિત(35)ને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
મળતી વિગતો મુજબ, પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો રહેતો હતો. પરંતુ આ ઝઘડાએ હિંસક રૂપ ધારણ કરી લીધું હતું. જેમાં પતિ-પત્ની વચ્ચે લોહિયાળ ઝપાઝપી થઇ હતી. પત્નીએ પતિના આંખની આસપાસ ઇજા પહોંચાડી હતી. પત્નીએ પતિ અવાર-નવાર અત્યાચાર ગુજારતો હોવાનો આરોપ લગાવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પતિ દિનેશ પત્ની અંકુને માર મારતો હોવાની કંટાળેલી પત્નીએ પતિ સાથે ઝપાઝપી સર્જાઈ હતી. અને આ ઝપાઝપીમાં અંકુને પણ હાથમાં ઈજા પહોંચી હતી. તેની પણ સારવાર કરવામાં આવી હતી.