Not Set/ કેનાલો પર પોલીસનું સુરક્ષા કવચ, જો કોઈ ખેડૂત પાણી લેતાં ઝડપાશે તો કરાશે ફરિયાદ

નર્મદા, સરદાર સરોવર નર્મદા ડેમમાં ગત વર્ષ કરતાં ઓછું પાણી છે. આથી ગુજરાત સરકારે રાજ્યમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેથી આગામી ઉનાળામાં ગુજરાતની પ્રજાને પીવાનાં પાણી માટે કોઈ સંકટ ન થાય અને એટલે જ નર્મદા બંધનાં સ્થળથી ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં 241 કિલોમીટરમાં 950 જેટલા કર્મચારીઓ સુરક્ષાનો પહેરો ભરે છે. […]

Top Stories
police કેનાલો પર પોલીસનું સુરક્ષા કવચ, જો કોઈ ખેડૂત પાણી લેતાં ઝડપાશે તો કરાશે ફરિયાદ

નર્મદા,

સરદાર સરોવર નર્મદા ડેમમાં ગત વર્ષ કરતાં ઓછું પાણી છે. આથી ગુજરાત સરકારે રાજ્યમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેથી આગામી ઉનાળામાં ગુજરાતની પ્રજાને પીવાનાં પાણી માટે કોઈ સંકટ ન થાય અને એટલે જ નર્મદા બંધનાં સ્થળથી ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં 241 કિલોમીટરમાં 950 જેટલા કર્મચારીઓ સુરક્ષાનો પહેરો ભરે છે.

તેમાં એસઆરપીની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે, કેનાલો પર પાંચ પીઆઈ,10 પીએસઆઈ, 735 જેટલા સુરક્ષા કર્મચારીઓ કામ કરે છે. નર્મદા કેનાલથી બોડેલી, હાલોલ, લાડવેલ, ગાંધીનગર, મોઢેરા, રાધનપુર, દિયોદરમાં તેઓ સુરક્ષા કરે છે. જ્યારે ધ્રાંગ્રધા ખાતે એક પીઆઈ,બે પીએસઆઈ અને 111 જવાનો મળીને 120 જેટલા સુરક્ષા કર્મચારીઓ કામ કરે છે. આમ કેનાલો પર 900 સુરક્ષા કર્મચારીઓ તપાસ કરશે કોણ પાણી લઈ રહ્યું છે.

આ બાબતે કેવડિયા એસઆરપીનાં ડીવાયએસપી એલ.પી.ઝાલાએ જણાવ્યું હતું કે,સરકારની સૂચના પ્રમાણે કેનાલો પર સુરક્ષા કવચ છે અને હવે 15 માર્ચ પછી કેનાલમાંથી સિંચાઈમાં પાણી લેવા પર મનાઈ ફરમાવી છે. ત્યારે નર્મદા નિગમનાં અધિકારીઓ સાથે  જો કોઈ ખેડૂત બકનળીથી પાણી લેતાં ઝડપાશે તો નિગમનાં અધિકારી ફરિયાદી બનશે અને તેની સામે ફરિયાદ નોંધવામાં આવશે અને  તે ખેડૂત સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સરદાર સરોવર નર્મદા ડેમમાં ગત વર્ષ કરતા ઓછા પાણીને કારણે  ગુજરાત સરકારે ગુજરાત ભરમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું બંધ કરવાનો આગવો નિર્ણય લીધો જેથી આગામી  ઉનાળામાં ગુજરાતની પ્રજા ને પીવાના પીવાના પાણી માટે કોઈ સંકટ ના રહે અને  માટે જ નર્મદા બંધ સ્થળ  થી ગુજરાત ના વિવિધ વિસ્તારોમાં   241 કિમિ માં  950 સુરક્ષા કર્મચારીઓ સુરક્ષા પહેરો ભરે છે અને SRP જવાનો ની ટીમ તેનાત કરી દેવાઈ છે, કેનાલો પર  5 પીઆઇ, 10 પીએસઆઇ  735 જેટલા સુરક્ષા કર્મીઓ કામ કરે છે, જેમાંનર્મદા મુખ્ય કેનાલ થી બોડેલી, હાલોલ, લાડવેલ, ગાંધીનગર, મોઢેરા, રાધનપુર, દિયોદર,  વિસ્તારોમાં સુરક્ષા કરે છે.

જયારે ધાગંધ્રા ખાતે એક પીઆઇ, બે  પીએસઆઇ,અને 111 જવાનો મળી 120 સુરક્ષા કર્મચારીઓ કામ કરે છે. આમ કેનાલો પર 900 સુરક્ષા કર્મી ઓ તપાસ કરશે  કે કોઈ પાણી લઇ રહ્યા છે કે નહિ. આ બાબતે કેવડિયા SRP ના DYSP એલ.પી.ઝાલા એ દૂરદર્શન ને જણાવ્યું હતું કે સરકાર ની સૂચના પ્રમાણે કેનાલો પર સુરક્ષાકવચ  છે અને હવે  15 માર્ચ પછી કેનાલ માંથી સિંચાઈ માં પાણી લેવા પર મનાઈ ફરમાવી છે ત્યારે નર્મદા નિગમ ના અધિકરીઓ સાથે રહી જો કોઈ ખેડૂત બકનળી થી પાણી લેતા ઝડપાશે તો નિગમના અધિકારી ફરિયાદી બનશે અને જેની સામે ફરિયાદ નોંધી ખેડૂત સામે કાયદેસર ની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.