- પિતા ભક્ષક બનતા પિતા-પુત્રીના સંબંધોની પવિત્રતા લજવાય છે
- મનુસ્મૃતિ અને પદ્મપુરાણના શ્લોકથી પિતૃ ધર્મ યાદ કરાવ્યો હતો
- 12 વર્ષની પુત્રીને પિતા શારીરિક અડપલા કરતો હોવાથી માએ કેસ કર્યો
Harrasment: ગુજરાત હાઇકોર્ટે (Gujarat highcourt) 12 વર્ષની પુત્રીને અડપલા (Harrasment) કરતા પિતાને ફટકાર લગાવવાની સાથે તેની જામીન અરજી રદ કરી નાખી હતી. માતાએ કરેલી ફરિયાદના આધારે પિતાની જામીન અરજી રદ કરતાં ગુજરાત હાઇકોર્ટે પદ્મપુરાણના શ્લોકો ઉચ્ચાર્યા હતા.
જાતીય સતામણીના (Harrasment) કિસ્સામાં પિતાની જામીન અરજીની સુનાવણી કરતી વખતે ગુજરાત હાઇકોર્ટે પિતાને પદ્મપુરાણના શ્લોકથી પિતૃ ધર્મ યાદ કરાવ્યો હતો. હાઇકોર્ટે જણાવ્યું હતું કે પિતા ભક્ષક બને ત્યારે પિતા-પુત્રીના સંબંધની પવિત્રતા લજવાય છે.
ગુજરાત હાઇકોર્ટે આરોપી પિતાની જામીન અરજી રદ કરી હતી. (Harrasment) તેની સાથે હાઇકોર્ટે જણાવ્યું હતું કે દીકરી પિતાને રક્ષક સમજે છે, જ્યારે પિતા ભક્ષક બને ત્યારે પિતા-પુત્રીના સંબંધની પવિત્રતા ભયમાં મૂકાય છે. સ્વાભાવિક રીતે પિતા સામે પોક્સો હેઠળ કાર્યવાહી થશે, કારણ કે પુત્રી 18થી ઓછી 12 વર્ષની એટલે કે સગીર છે.
હાઇકોર્ટે તેની સામે સગીરોની ઘરની અંદર અને ઘરની બહાર વધતી જતી જાતીય સતામણી (Harrasment)અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. હાઇકોર્ટે જણાવ્યું હતું કે કે બાળકોને યોગ્ય શિક્ષણ આપવામાં આવે અને યોગ્ય વાતાવરણ પૂરુ પાડવામાં આવે તો તેમને વિપરીત માનસિક અસરથી બચાવી શકાય છે. તેની સાથે બાળકોને પણ દરેક પ્રકારના સ્પર્શ અંગે સમજ આપવામાં આવે તે જરૂરી છે. બાળકની સાથે થતી જાતીય સતામણી તેના પર ગંભીર માનસિક અસર છોડી જાય છે. આ પ્રકારની તકલીફ બાળકને ભવિષ્યનો મનોરોગી બનાવે છે અને લઘુતાગ્રંથિથી ભરેલા વ્યક્તિત્વવાળો બનાવે છે.