ગુજરાત સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા 17 નવેમ્બરે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 17 નવેમ્બરે બિનસચિવાલયની પરીક્ષા લેવાશે. આપને જણાવી દઇએ કે, રાજ્યભરમાંથી 34,800 થી વધુ બ્લોકમાં આ પરિક્ષા લેવાશે. આ પરીક્ષામાં 11 લાખથી વધુ પરિક્ષાર્થી હાજરી આપી પરીક્ષા આપશે.
આમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 1.30 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તમામ પરીક્ષા કેન્દ્રો પર CCTV કેમેરાથી નજર રાખવામાં આવશે. સરકાર દ્વારા પરિક્ષામાં થતી ગેરરીતીઓ અટકાવવા માટે આ નિર્ણય કરવામાં આવ્યા છે. સરકારનાં આ નિર્ણયથી હકદાર પરિક્ષાર્થીને ફાયદો થશે. તકેદારી અધિકારીઓ અને કર્મચારીઓની સંખ્યામાં પણ ગેરરીતી ડામવાં ધરખમ વધારો કરાયો છે. પરિક્ષા કેન્દ્રમાં કોઇ પણ સમસ્યાને લઇને તકેદારી અધિકારીનો રિપોર્ટ ફાઇનલ ગણાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન