Gujarat/ બે હાથમાં છરી લઇ સાસરીમાં ત્રાટક્યો જમાઈ, પછી થયુ કઇંક આવું…

મૂળીના સરોડી ગામે પત્ની છેલ્લા ઘણા સમયથી રીસામણે બેસી હતી. પત્ની રીસામણે બેસી હોવાના મનદુઃખ સાથે પતિ છરી લઇને સાસરીમાં પહોંચ્યો હતો…

Gujarat Others
નલિયા 43 બે હાથમાં છરી લઇ સાસરીમાં ત્રાટક્યો જમાઈ, પછી થયુ કઇંક આવું...

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સરોડી માં બે હાથમાં ખુલ્લેઆમ છરી લઇ સાસરીમાં ત્રાટક્યો જમાઈ, સાળી-સસરાનું ઢીમ ઢાળી દીધું

મૂળીના સરોડી ગામે પત્ની છેલ્લા ઘણા સમયથી રીસામણે બેસી હતી. પત્ની રીસામણે બેસી હોવાના મનદુઃખ સાથે પતિ છરી લઇને સાસરીમાં પહોંચ્યો હતો. જ્યાં માથાકૂટ થતાં જમાઇએ સાસરિયાઓ પર હુમલો કર્યો હતો. જેમાં સાળી અને સસરાંનું મોત નીપજ્યું હતું, જ્યારે જમાઇને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ચોટિલા અને ત્યારબાદ રાજકોટમાં લઇ જવાયો હતો. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જમાઇ દ્વારા ડબલ મર્ડરની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચ્યો છે.

જમાઇએ સાસરિયા પક્ષ પર હુમલો કર્યો

આ બનાવની વિગતો એવી છેકે, મૂળી ગામના હિતેશભાઇ ભરતભાઇ કોરડીયાની પત્ની મીનાબેન રીસામણે એના પિયર સરોડી ગામે હતી. આથી આજે બપોરે બાર વાગ્યાના સુમારે હિતેશભાઇ ભરતભાઇ કોરડીયાએ પોતાના સાસરે થાન તાલુકાના સરોડી ગામે પહોંચ્યો હતો અને છરી વડે સાસરીયા પક્ષના સભ્યો ઉપર ઘાતક હુમલો કર્યો હતો. આ બનાવમાં સોનલબેન દામજીભાઇ ચાવડા ( ઉંમર વર્ષ- 22 રહે- સરોડી તા. થાન (સાળી) અને દામજીભાઇ હરીભાઇ ચાવડા ( ઉંમર વર્ષ 50 રહે- સરોડી તા.થાન ( સસરા )ને પેટના ભાગે છરી વાગતા લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન બંનેના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા.

આરોપી જમાઇને પણ ઇજાઓ પહોંચી

આ ઘટનામાં લલિતભાઇ દામજીભાઇ ચાવડા ( ઉંમર વર્ષ 21, રહે-સરોડી તા.થાન ( સાળો ) અને આરોપી હિતેશ ભરતભાઇ કોરડીયાની પત્ની મીનાબેનને પણ ગંભીર ઇજાઓ પહોંચતા બંનેને સારવાર અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. આ ઘટનામાં ખુદ આરોપી હિતેશભાઇ ભરતભાઇ કોરડીયાને પણ ઇજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર અર્થે ચોટીલા સરકારી હોસ્પિટલે લઇ જવાયા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. થાન પોલિસે ઘટના સ્થળે દોડી જઇ ડબલ મર્ડરનો ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Gujarat: સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વેક્સિનનું ડ્રાય રન, રસી આપતા …

Ahmedabad: ઈસરોના વૈજ્ઞાનિક તપન મિશ્રાનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું R…

Political: રાજ્યની 6 મનપાની ચૂંટણી માટે રાજકીયપક્ષની કવાયત, ઉમેદવારી મા…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો