Patan News:પાટણના શંખેશ્વરના પંચાસર પાસે બે વાહનો વચ્ચે અકસ્માત સર્જાવાને લઈ કારમાં આગ લાગી હતી. આ આગને કારણે કારમાં બેઠેલા બે લોકો બળીને ભડથું થયા છે. સ્થાનિકોને આ અકસ્માતની જાણ થતા તેમણે આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો. બનાવની જાણ થતાં લોકોના ટોળા એકઠા થયાં હતા. ઘટના સ્થળે પહોંચી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, શંખેશ્વરના પંચાસર પાટિયા નજીક ટ્રક અને વેગનઆર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એવી રીતે થયો હતો કે, ટ્રક અને કાર બંને વાહનોમાં આગ લાગી ગઇ હતી. આ આગને કારણે કારમાં આગળ બેઠેલા બે લોકો બળીને ખાખ થઇ ગયા હતા.
બનાવ અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ પહોંચી હતી. આગના પગલે ત્યાંથી પસાર થતાં વાહન ચાલકોમાં અફરા-તફરી મચી હતી. થોડો સમય રસ્તા પર ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. પોલીસે બન્નેના મૃતદેહોને પીએમ અર્થે ખસેડ્યા હતા.
ટ્રાફિકને પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરી હતી. અકસ્માતમાં મોતને ભેટેલી બન્ને વ્યક્તિઓની ઓળખ કરવામાં આવી રહી છે. જ્યારે અકસ્માત બાદ ફરાર પીકઅપ વાનના ચાલકની શોધખોળ હાથ ધરાઈ છે.
આ પણ વાંચો:પીએમ મોદીએ ભૂટાનના સમકક્ષ શેરિંગ તોબગે સાથે ઘણા મુદ્દાઓ પર ‘અર્થપૂર્ણ’ ચર્ચા કરી
આ પણ વાંચો:પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો મોટો ફેરફાર, અહીં ₹7થી વધુ સસ્તું મળશે ક્રૂડ ઓઈલ
આ પણ વાંચો: સાયબર ક્રિમિનલ કિડનેપિંગ અને ખંડણી માટે AIનો કરી રહ્યા છે ઉપયોગ