પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે આતંવાદી સંગઠન લશ્કર-એ-તોઈબા અને 2૬/૧૧ મુંબઈ બ્લાસ્ટનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદ અંગે વધુ એક વાર તરફેણ કરી છે. પાકિસ્તાનની એક ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં પરવેઝ મુશર્રફે જણાવ્યું કે, આતંવાદી હાફિઝ સઈદને હું સપોર્ટ કરુ છું તેમજ તે કાશ્મીરમાં લશ્કર-એ-તોઈબાની સંડોવણી ને પણ સમર્થન આપે છે.
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, હાફિઝ સઈદને હું કેટલીય વાર મળ્યો છું. અમે હંમેશા કાશ્મીરમાં કાર્યવાહી અને ભારતીય સેનાને દબાવવાના પક્ષમાં છે. લશ્કર એ મોટી સેના છે, અને ભારતે અમેરિકા સાથે મળીને let ને આતંકવાદીઓના રૂપમાં ઘોષિત કર્યું છે. વધુમાં જણાવ્યું કે, લશ્કર કાશ્મીરમાં સક્રિય છે.