આપણા દેશમાં વચન માટે રઘુકુળને યાદ કરવામાં આવે છે, રામાયણમાં પંક્તિઓ છે કે રઘુકુળ રીતિ સદા ચલી આઈ… પ્રાણ જાયે પર વચન ના જાયે..!, વર્તમાન સમયમાં આવું જ એક વ્યક્તિત્વ છે ઓટોમોબાઇલ કંપનીના માલિક આનંદ મહિન્દ્રાનું…ઓટોમોબાઈલ કંપનીના માલિક આનંદ મહિન્દ્રાએ ઓસ્ટ્રેલિયા ટૂર પર શાનદાર પ્રદર્શન પૂર્ણ કરી ચૂકેલી ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર ટી નટરાજનને કાર ભેટ આપવાનું વચન આપ્યું હતું,આ વચન તેમણે પૂર્ણ કર્યું છે અને નટરાજને પોતે આ જાણકારી પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા આપી હતી.
‘કોરોના’ આવશે કાબૂમાં / હવે ત્રણ વાર મૂકાશે ‘કોરોના’ની રસી, Covaxinના બૂસ્ટરડોઝને મંજૂરી
આસામ ચૂંટણી / પ્રાઇવેટ કારમાં EVM મશીન મળતા મચ્યો ખળભળાટ, ECએ કાર્યવાહી કરતા 4 અધિકારીઓને કર્યા સસ્પેન્ડ
નટરાજને કારનો ફોટો પોસ્ટ કર્યો
ટી નટરાજને ટ્વિટર પર લખ્યું, ‘ભારત માટે ક્રિકેટ રમવું એ મારા જીવનની સૌથી મોટી બાબત હતી. અહીં પહોંચવું મારા માટે સહેલું નહોતું. તેણે કહ્યું કે મને જે રીતે લોકોનો પ્રેમ મળ્યો છે તેનાથી હું ખૂબ જ અભિભૂત થયો છું. શ્રેષ્ઠ લોકોનો ટેકો અને પ્રોત્સાહન મારા માટે રસ્તા શોધવામાં મદદરૂપ સાબિત થાય છે.
નવી આફત / હવે મગજની રહસ્યમય બિમારીથી દુનિયામાં દહેશત, કેનેડામાં પાંચના મોત
અન્ય એક ટવીટમાં ટી નટરાજને લખ્યું – આજે હું ડ્રાઇવિંગ કરતી વખતે નવી એસયુવી થારને મારા ઘરે લાવ્યો, આજે હું શ્રી આનંદ મહિન્દ્રાનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારી સ્વીકૃતિ અને પ્રશંસા બદલ આભાર. તમારા ક્રિકેટ પ્રત્યેના પ્રેમને જોતા, હું તમને ગાબા ટેસ્ટ જર્સી ભેટ કરું છું.
આનંદ મહિન્દ્રા આ ક્રિકેટરો પર પણ મહેરબાન
આનંદ મહિન્દ્રાએ નટરાજનને જ નહીં, મોહમ્મદ સિરાજ, શુબમન ગિલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર અને નવદીપ સૈનીને પણ ભેટ તરીકે કાર આપવાનું વચન આપ્યું હતું.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…