સુરતમાં જુદી જુદી શાળાઓના બે વિદ્યાર્થીઓ શુક્રવારે કોરોના પોઝિટિવ આવ્યા હતા. બંને શાળાઓને ચાર દિવસ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ અને સ્ટાફની ચકાસણી કરવામાં આવશે અને જો વધુ પોઝિટિવ કેસ ન મળે તો શાળાને ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવશે,
આ પણ વાંચો :દેશ નહીં પણ દુનિયામાં પ્રખ્યાત છે સંખેડાનાં લાકડાથી બનાવેલું ફર્નિચર
આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ કોરોનામાં સુરતમાં શુક્રવારે કોરોના પોઝિટિવ નવા બે કેસ નોંધાયા છે. જેમાં નાનપુરાના ટીમલીયાવાડમાં રહેતો 16 વર્ષીય તરૃણ અઠવા લાઇન્સ વિસ્તારની એક્ષ્પરિમેન્ટલ સ્કુલમાં અને વેસુના વી.આઇ.પી રોડ પર રહેતો 15 વર્ષીય તરૃણ અગ્રવાલ શાળામાં અભ્યાસ કરે છે. બંને વિધાથીના કોરોના પોઝિટીવ આવતા પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા એક અઠવાડીયા માટે બંને સ્કુલો બંધ કરાવી છે.
આ પણ વાંચો : મહેમદાવાદમાં કાશ્મીરમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્વાંજલિ આપવામાં આવી,કેન્ડલ માર્ચનું આયોજન
બંને શાળાઓમાં આંતરિક પરીક્ષાઓ ચાલી રહી છે. અમે બંને શાળાઓને શુક્રવાર અને શનિવારે બંધ રાખવાનો આદેશ આપ્યો છે. સોમવારે અમારી ટીમો શાળામાં પરીક્ષણો કરશે અને જો કોઈ વિદ્યાર્થીઓ પોઝિટિવ નહીં મળે તો તેમને ઓપરેટ કરવાની મંજૂરી આપવામાં આવશે. શ્રીમતી. સી.સી.એસ.એસ.એચ.એસ.ના કેમ્પસમાં ચાલતી આર.એસ.એમ પૂનાવાલા સાર્વજનિક એજ્યુકેશન સ્કૂલને પણ વિદ્યાર્થીઓનું પૂર્ણરુપે ટેસ્ટિંગ ન થાય ત્યાં સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો : PSI લોકરક્ષક ભરતીમાં શારીરિક કસોટીમાં પાસ થયેલા લેખિત પરીક્ષા આપશે, મેરિટ પદ્ધતિ હટાવાઈ
અત્યાર સુધીમાં સુરતમાં કુલ કેસ 111,686 છે. જયારે જીલ્લામાં 3 સાથે કુલ 32,185 કેસ છે. સિટી અને જીલ્લામાં મળીને કુલ 143,871 કેસ છે. સિટીમાં 1 સાથે 110,015 અને ગ્રામ્યમાં 0 સાથે 31,681 મળીને કુલ 141,696 દર્દીઓ સાજા થયા છે. કોરોનામાં સિવિલમાં 1 અને સ્મીમેરમાં એક દર્દીની હાલત ગંભીર છે.
આ પણ વાંચો :પાણીના ટેન્કરોમાં લગાવેલી જીપીઆરએસ સિસ્ટમનું મોનીટરીંગ કરવા આદેશ કરાયો
આ પણ વાંચો :ફટાકડાના સ્ટોલ માટે 60થી વધુ અરજીઓ ફાયર બ્રિગેડ શાખાએ શરૂ ર્ક્યું ચેકિંગ
આ પણ વાંચો : રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૫ કેસ નોંધાયા