જમશેદપુર,
નિર્દયતાની હદ પાર કરવાવાળી ઘટના સામે આવી છે જ્યાં 3 વર્ષની બાળકીનું રેલ્વે સ્ટેશન પરથી અપહરણ કરીને તેની બળાત્કાર કરી હત્યા કરી નાંખવામાં આવી હતી.કરૂણતા એ વાતની હતી કે માસુમ બાળકી પર રેપ કરીને તેનું માથું ધડથી અલગ કરી દેવામાં આવ્યું હતું
આ કેસ સમાજને ચોંકાવનારો છે આ ઝારખંડના જમશેદપુરનો છે.25 જુલાઇના રોજ ટાટાનગર રેલ્વે સ્ટેશન પર આ ઘટના બની હતી.
25 જુલાઇની રાત્રે ટેલ્કો નિવાસી રિંકુ સાહુ દ્વ્રારા ટાટાનગર રેલ્વે સ્ટેશન પરથી 3 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી જ્યાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે રિંકુ સાહુને તેના ઘરમાંથી પકડ્યો હતો.
ગુનેગાર રિંકુ સાહુએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે તેણે તેના એક મિત્ર કાશીડીનો નિવાસી કૈલાશ કુમારની મદદથી આ રેપ કર્યો હતો.રિંકુએ એમ પણ કબુલ્યું હતું કે તેણે દારૂના નશામાં અગાઉ પર રેપ કર્યો છે અને બીજા સગીર બાળકોનું અપહરણ કરીને વેચી કાઢ્યા છે. તેમણે એ પણ કબૂલ્યું હતું કે આ પહેલા પણ અમે પૈસાને કારણે ઘણા બાળકો વેચી દીધા છે.
રિંકુએ બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ ગળું કાપીને તેની બગીચામાં ફેંકી દીધી હતી. પોલિસે બાળકીનું અપહરણની નિશાની પર મૃતદેહને જપ્તે લીધો હતો.
સવાલ એ પણ ઉભો થાય છે કે ભૂતકાળમાં આવા ગુનેગારોએ આવી ઘટના કરી હોવા છતાં ગુનેગાર મુક્તપણે ફરતો હોય છે. ગુનેગાર ખુલ્લેઆમ આવી ઘટનાને અંજામ આપી રહ્યો છે.