બોલિવુડ એક્ટર ગોવિંદાએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂ આપ્યુ હતુ અને આ દરમિયાન તેણે પોતાના જીવનને લગતા ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી. આ દરમિયાન ગોવિંદાએ કહ્યું હતું કે, તેમણે વર્ષ 2009 માં જેમ્સ કેમેરોનની હોલીવુડ ફિલ્મ અવતારનું ટાઇટલ સૂચવ્યું હતું. તેટલુ જ નહી, ગોવિંદાએ કહ્યું હતું કે તેમને ફિલ્મમાં ભૂમિકાની ઓફર પણ કરવામાં આવી હતી, પરંતુ તેમણે તેને નકારી હતી.
ગોવિંદા દ્વારા આપવામાં આવેલ આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર તેમની ખૂબ જ મજાક ઉડાવવામાં આવી હતી અને હવે તેમનાથી જોડાયેલા ઘણા મીમ પણ સામે આવ્યા છે. રિપોર્ટ્સની માનીએ તો, ગોવિંદાનાં ઘણા મિત્રો માને છે કે તેઓ કોઇ માનસિક સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે અને તેમને મદદની સખત જરૂર છે.
એક વેબસાઇટનાં સમાચાર મુજબ ગોવિંદા છેલ્લા ઘણા સમયથી અજીબ વર્તન કરી રહ્યા છે. તેમના આ પ્રકારનાં વર્તનનાં કારણે તેમની છેલ્લી ફિલ્મ રંગીલા રાજાને કોઇ ડિસ્ટ્રીબ્યૂટરે હાથ પણ લગાવ્યો નહતો, કારણ કે ગોવિંદાએ તેમની સાથે લડાઇ કરી હતી. તેટલુ જ નહી ગોવિંદાનાં દોસ્તે આગળ કહ્યુ કે, ગોવિંદાએ પોતાના દરેક દોસ્તથી સંબંધ તોડી કાઠ્યા છે. આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગોવિંદાનો કોઇ દોસ્ત નથી અને કોઇ તેમની મદદ કરવા પણ તૈયાર નથી.
ઉલ્લેખનીય છે કે, એક ઇંટરવ્યૂમાં ગોવિંદાએ કહ્યુ હતુ કે, તેમને અવતાર ફિલ્મમાં અભિનયની ઓફર આવી હતી પરંતુ તેણે તે કરવાની એટલે મનાઇ કરી કારણ કે તે પોતાની બોડી પર પેઇન્ટ કરાવવા માંગતો નહતો. સાથે ગોવિંદાએ કહ્યુ હતુ કે, તેમને ગદર, ચાંદની, તાલ અને દેવદાસ જેવી ફિલ્મોની પણ ઓફર આવી હતી પરંતુ તેમણે તેને પણ રિજેક્ટ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.