Not Set/ ICU માં ઉંદરના કરડવાના લીધે નવજાત શિશુનું મૃત્યુ, વાંચો સમગ્ર મામલો

બિહારમાં ઉંદર મામલે એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. દરભંગા મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં એક નવજાત બાળકનું મૃત્યુ ઉંદરના લીધે થયું છે. મંગળવારે આ  બાળકનું મૃત્યુ ઉંદરના કરડવાથી થયું છે. તો બીજી તરફ હોસ્પિટલના ડોકટરે આ વાતને ખોટી ગણાવી હતી અને કહ્યું હતું કે બાળકનું મૃત્યુ સ્વાસ્થ્ય ખરાબ થઇ જવાને લીધે થઇ છે. આઈસીયુમાં ઉંદર […]

Top Stories India Trending
rat bite baby ICU માં ઉંદરના કરડવાના લીધે નવજાત શિશુનું મૃત્યુ, વાંચો સમગ્ર મામલો

બિહારમાં ઉંદર મામલે એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. દરભંગા મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં એક નવજાત બાળકનું મૃત્યુ ઉંદરના લીધે થયું છે.

મંગળવારે આ  બાળકનું મૃત્યુ ઉંદરના કરડવાથી થયું છે.

તો બીજી તરફ હોસ્પિટલના ડોકટરે આ વાતને ખોટી ગણાવી હતી અને કહ્યું હતું કે બાળકનું મૃત્યુ સ્વાસ્થ્ય ખરાબ થઇ જવાને લીધે થઇ છે.

આઈસીયુમાં ઉંદર કરડી ગયા 

સુત્રોના જણવ્યા પ્રમાણે મૃત બાળકના માતા-પિતાએ એવો દાવો કર્યો હતો કે ઉંદરે તેમના બાળકના પગમાં અને પગની આંગળીઓમાં કરડયા હતા. ત્યારબાદ ડોકટરે વાગેલા પર ઈલાજ પણ કર્યો હતો પરંતુ લોહી થંભવાનું નામ જ નહતું લેરું.

મૃતક બાળકને ૧૦ દિવસ પહેલા આ હોસ્પિટલમાં દખલ કરવામાં આવ્યું હતું. બાળકના માતા-પિતાએ ડોકટર પર લાપરવાહીનો આરોપ લગાવ્યો છે અને તેમની સામે કડક પગલા લેવા માટેની માંગ કરી છે.

ડોકટરે કહ્યું આવું

ડોક્ટર ઓમ પ્રકાશનું કહેવું હતું કે આઈસીયુમાં ઘણા ઉંદર છે પરંતુ આ બાળકની મોત તેના લીધે નથી થઇ. આ બાળકને દિલની બીમારી હતી તેમ જ તેનું બ્રેન પણ ડેડ હતું.

અમે બાળકને નોર્મલ કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તેને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. સવારે ૪ : ૩૦ વાગ્યે તેનું મૃત્યુ થયું હતું.

પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.