રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના પ્રમુખ મોહન ભાગવતે બુધવારે કહ્યું હતું કે ભારત પરંપરાગત રીતે હિન્દુત્વવાદી રહ્યું છે. તેલંગાણાના હૈદરાબાદમાં આરએસએસના ત્રણ દિવસીય કાર્યક્રમમાં બોલતા ભાગવતે કહ્યું કે અહીં ધર્મ અને સંસ્કૃતિમાં મતભેદો હોવા છતાં સંઘ દેશની 130 કરોડ વસ્તીને હિન્દુ સમાજ માને છે.
ભાગવતે કહ્યું,’જ્યારે આરએસએસ કોઈને હિન્દુ કહે છે, ત્યારે તેનો અર્થ એ છે કે જે લોકો ભારતને તેમની માતૃભૂમિ માને છે અને આ દેશને ચાહે છે… ભારત માતાના પુત્ર,આના કોઈ મતલબ નથી કે તેઓ કઈ ભાષા બોલે છે અથવા તે કયા ધર્મનો અનુયાયી છે, તે કોઈ પણ પ્રકારની પૂજાને સ્વીકારે કરે છે કે ન કરે, તે હિન્દુ છે. ‘
ભાગવતે કહ્યું તેથી સંઘ માટે ભારતના તમામ 130 કરોડ રહેવાસીઓ હિન્દુ સમાજ છે. આરએસએસ દરેકને પોતાનું માને છે અને સૌનો વિકાસ ઇચ્છે છે. સંઘ બધાને સાથે લઇ જવા માંગે છે. સંઘના પ્રમુખએ કહ્યું, ‘ભારતનો પરંપરાગત વિચાર એક સાથે આગળ વધવાનો છે… લોકો કહે છે કે આપણે હિન્દુત્વવાદી છીએ. અમારો દેશ પરંપરાગત રીતે હિન્દુત્વવાદી છે. ‘
તેમણે કહ્યું, એક પ્રખ્યાત કહેવત છે કે વિવિધતામાં એકતા છે. પરંતુ આપણો દેશ આનાથી એક પગલુ આગળ છે. અહીં આપણી વચ્ચે વિવિધતામાં એકતા નથી, પણ એકતાની વિવિધતા પણ છે. આપણે વિવિધતામાં એકતાની શોધમાં નથી. અમે એકતાની શોધમાં છીએ જે વિવિધતા બનાવે છે અને એકતા પ્રાપ્ત કરવાના ઘણા રસ્તાઓ છે.
ભાગવતે કહ્યું કે સંઘ દેશ માટે કામ કરે છે અને હંમેશા ધર્મની વિજયની ઇચ્છા રાખે છે. રવિન્દ્રનાથ ટાગોરનું ઉદાહરણ આપતા સંઘના પ્રમુખએ કહ્યું કે તેમણે કહ્યું હતું કે એકલા રાજકારણ દેશમાં પરિવર્તન લાવી શકતા નથી, ફક્ત લોકો જ લાવી શકે છે. હૈદરાબાદમાં યોજાયેલી આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી કિશન રેડ્ડી, રાષ્ટ્રીય મહામંત્રી રામ માધવ અને ભાજપના તેલંગાણા એકમના ઘણા નેતાઓએ ભાગ લીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન