Not Set/ ઝારખંડ નક્સલીઓએ સુરંગ બ્લાસ્ટ કરતાં 6 જવાન શહીદ

લાતેહર, ઝારખંડ ઝારખંડમાં નક્સલીઓએ કરેલાં હુમલામાં 6 જવાનો શહીદ થયાં હતા.ઝારખંડના ગઢવા જિલ્લામાં નક્સલીઓ દ્વારા બારૂદી સુરંગમાં બ્લાસ્ટના હુમલામાં જગુઆર ફોર્સના 6 જવાન શહીદ થઈ ગયા હતા, જ્યારે 4 જવાન ઘાયલ થયા હતા. પલામુ રેન્જના ડીઆઇજી વિપુલ શુક્લાએ કહ્યું હતું કે ગઢવા જીલ્લામાં નક્સલીઓએ સુરંગ બ્લાસ્ટ કર્યો છે.જેમાં ઝારખંડ જગુઆર ફોર્સના 6 જવાનો માર્યા ગયાં […]

Top Stories
ઝારખંડ નક્સલીઓએ સુરંગ બ્લાસ્ટ કરતાં 6 જવાન શહીદ

લાતેહર, ઝારખંડ

ઝારખંડમાં નક્સલીઓએ કરેલાં હુમલામાં 6 જવાનો શહીદ થયાં હતા.ઝારખંડના ગઢવા જિલ્લામાં નક્સલીઓ દ્વારા બારૂદી સુરંગમાં બ્લાસ્ટના હુમલામાં જગુઆર ફોર્સના 6 જવાન શહીદ થઈ ગયા હતા, જ્યારે 4 જવાન ઘાયલ થયા હતા.

પલામુ રેન્જના ડીઆઇજી વિપુલ શુક્લાએ કહ્યું હતું કે ગઢવા જીલ્લામાં નક્સલીઓએ સુરંગ બ્લાસ્ટ કર્યો છે.જેમાં ઝારખંડ જગુઆર ફોર્સના 6 જવાનો માર્યા ગયાં છે.આ બ્લાસ્ટ અંગે અમે તપાસ ચલાવી રહ્યાં છીએ.

પોલીસે જણાવ્યાનુસાર ઝારખંડ જગુઆર ફોર્સના 112 બટાલિયનના જવાનો મિશન પર રવાના થયા હતા. મોડી સાંજે પર્વતોથી પસાર થતી વખતે નક્સલીઓએ બ્લાસ્ટ કર્યો હતો. સાથે સાથે તેમણે જવાનો ઉપર અંધાધુંધ ફાયરિંગ પણ કર્યુ હતું. જેમાં 6 જવાનો શહીદ થયા હતા.