New Delhi News: ભારત સહિત વિશ્વભરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ- વેડિંગની ચર્ચા થઈ રહી છે. દુનિયાભરની મોટી હસ્તિઓ 3 દિવસના કાર્યક્રમમાં હાજરી આપવા જામનગર ખાતે આવી પહોંચ્યા છે. મુકેશ અંબાણીએ તેમના ત્રણે સંતાનોને રિલાયન્સની જવાબદારી અત્યારથી જ સોંપી દીધી છે. રિલાયન્સના શેરહોલ્ડિંગની પેટર્ન જોઈએ તો ત્રણેય સંતાનોને સરખો હિસ્સો મળ્યો છે.
ડિસેમ્બર 2023 સુધી આંકડા પ્રમાણે ઈશા, આકાશ, અનંત પાસે કંપનીમાં 50.30 ટકા હિસ્સો છે. પબ્લિક શેરહોલ્ડિંગ 49.70 ટકા છે. એટલે કે આરઆઈએલ ઈન્ડસ્ટ્રીઝના 80 લાખ 52 હજારથી વધુ શેર છે. આટલા જ શેર મુકેશ અંબાણી કે નીતા અંબાણી પાસે પણ છે. કોકિલાબેન અંબાણી પાસે કંપનીના 1 કરોડ 57 લાખ 41 હજારથી વધુના શેર છે.
ગત વર્ષે શેરહોલ્ડર્સે આરઆઈએલ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં સામેલ થવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેવાઈ હતી. ઈશા, આકાશને 98 ટકા અને અનંતને 92.75 ટકા વોટ મળ્યા હતા.
આ પણ વાંચો:મહાશિવરાત્રિના મેળામાં પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ સાથે ન લાવવા વહીવટી તંત્રનો ભક્તોને અનુરોધ
આ પણ વાંચો:ભાજપ બોલિવૂડના કલાકારોને ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે, જાણો કોણ છે ફિલ્મી સિતારા…