@ભાવેશ રાજપૂત, અમદાવાદ
અમદાવાદની જાણીતી ફાર્માસ્યુટીકલ કંપનીમાં કામ કરતી યુવતીને ફેસબુક થકી મિત્ર બનેલા ધૈવત જાની નામનાં યુવક સાથે પ્રેમસંબંધ બંધાતા તેની સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડાક જ દિવસમાં પતિ યુવતીને શારિરીક માનસીક ત્રાસ આપતો અને ઘરમાં પડેલી છૂટી વસ્તુઓ ફેંકીને મારતો હતો. યુવતીને બચાવવા સાસુ-સસરા વચ્ચે પડતા તો તેમને પતિએ માર્યા હતા. અંતે મહિલા પતિને મનોચિકિત્સક પાસે લઈ જતા ડોકટરે પતિ માનસિક બિમાર હોવાનો ભાંડો ફોડ્યો હતો.
અમદાવાદના પાલડી વિસ્તારમા રહેતી યુવતી એસજી હાઈવે પરની જાણીતી કપનીમાં ઉચ્ચા હોદ્દા પર પર કામ કરે છે. યુવતી સોશિયલ મીડિયા ફેસબુકમાં ધૈવત નામનાં યુવકનાં સંપર્કમાં આવી હતી. બંનેએ વિડિઓ કોલ મારફતે લગ્ન કરવા પરિવારને વાત કરતા તેઓનાં લગ્ન નક્કી થતા ધૈવત ભારત આવ્યો હતો. જોકે લગ્નનાં થોડા દિવસો પછી જ યુવતી કોઈની સાથે વાતચીત કરે તો પતિ ગુસ્સો કરીને છુટા હાથે ઘરની વસ્તુઓ ફેંકીને મારતો હતો. યુવતીને બચાવવા સાસુ સસરા વચ્ચે પડ્યા તો ધૈવતે તેઓને પણ માર માર્યો હતો
યુવતિ અંતે પાલડીમાં મનોચિકિત્સક પાસે પતિને લઈ ગઈ હતી. જ્યાં તબીબે ધૈવલનું કાઉન્સિલિંગ કરતા યુવતિને જાણવા મળ્યું કે ધૈવતે અગાઉ પણ લગ્ન કર્યા હતા, જ્યાં તે પત્નીને માર મારતો હોવાથી છૂટાછેડા થઈ ગયા હતા.
મનોચિકિત્સકે યુવતીને કહ્યું હતુ કે ધૈવતને સારવાર માટે લાવવામાં ખૂબ મોડું થઈ ગયું છે. હવે દવા આપી છે, જ્યાં સુધી એની અસર રહેશે ત્યાં સુધી સારું રહેશે. આ બધાની વચ્ચે અચાનક યુવતિનો પતિ ધૈવત તેને કઈ પણ કીધા વિના અચાનક ગાયબ થઈ ગયો હતો. યુવતીએ તપાસ કરી તો જાણવા મળ્યું કે ધૈવત દેશ છોડીને જતો રહ્યો છે. જ્યારે તેનાં માતા-પિતા પણ પોતાના ઘરે ન હતાં. આ અંગેની જાણ થતાં યુવતીએ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.