જમ્મુ -કાશ્મીરના ઉરીમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર ભારે સશસ્ત્ર આતંકવાદીઓના જૂથ દ્વારા ઘૂસણખોરીનો પ્રયાસ કર્યા બાદ ઇન્ટરનેટ અને મોબાઇલ ફોન સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. અધિકારીઓએ સોમવારે આ માહિતી આપી હતી. સેનાએ કહ્યું કે ઘૂસણખોરી વિરોધી ઓપરેશન 30 કલાકથી વધુ સમય સુધી ચાલી રહ્યું છે.
વધારાના સુરક્ષા દળોને બોલાવવામાં આવ્યા છે અને મોટા વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે. સેનાના જણાવ્યા અનુસાર આ વર્ષે ઘુસણખોરીનો આ બીજો પ્રયાસ છે.જોકે, આર્મીના એક વરિષ્ઠ કમાન્ડરે કહ્યું કે આ વર્ષે સીમા પારથી કોઈ યુદ્ધવિરામનું ઉલ્લંઘન થયું નથી અને કોઈ ઉશ્કેરણી કરવામાં આવી નથી.15 મી કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટનન્ટ જનરલ ડીપી પાંડેએ જણાવ્યું હતું કે, આ વર્ષે યુદ્ધવિરામનું કોઈ ઉલ્લંઘન થયું નથી.
તેમણે વધુમાં કહ્યું હતુ કે અગાઉના વર્ષોની સરખામણીમાં ઘૂસણખોરીના થોડા પ્રયત્નો થયા હતા. ભાગ્યે જ કોઈ સફળ પ્રયાસ થયો હતો. મારી જાણ મુજબ માત્ર બે ઘૂસણખોરીના પ્રયાસો પ્રકાશમાં આવ્યા છે. એક બાંદીપુરમાં તટસ્થ થઈ ગયો હતો. બીજાની શોધ કરવામાં આવી રહી છે.
તેમણે કહ્યું કે ઉરીમાં છેલ્લા 24 કલાકથી ઓપરેશન ચાલી રહ્યું છે, જેમાં અમને લાગ્યું કે ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમે તેમને શોધી રહ્યા છીએ. શું તેઓ આ બાજુ છે અથવા તેઓએ પાછા જવાનો પ્રયાસ કર્યો છે,અમે ઘૂષણખોરી અટકાવીશું.