રાજકોટના સાંસદ મોહન કુંડારિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અંગે સોશિયલ મીડિયાના માધ્મયથી મોહન કુંડારિયાએ માહિતી આપી હતી. સાંસદ મોહન કુંડારીયાને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે લક્ષણો દેખાતા બે વખત ટેસ્ટ કરાવ્યા બાદ પણ પોઝિટિવ રીપોર્ટ ન આવતા બાદમાં આર્ટિફિશિયલ ટેસ્ટમાં કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું.
Election / ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીનું થયું એલાન, જાણીલો ક્યારે છે ચૂંટણી
એક તરફ સમગ્ર દેશ સહિત રાજકોટમાં કોરોનાની રસી આવી ગઈ છે અને રસીકરણ પણ શરુ થઇ ગયું છે, એક તરફ જ્યારે કોરોનાથી અત્યાર સુધીમાં 146 લોકોના મોત થયા હોવાનું તંત્રના ચોપડે નોંધાયું છે. તો બીજી તરફ રાજકોટમાં 2300થી વધુ કોવિડ બેડ ખાલી હોવાનું પણ જણાય છે. આ બધા વચ્ચે રાજકોટના સાંસદ મોહન કુંડારિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ તેઓ હોસ્પીટલમાં દાખલ છે. અને પૂરતી તકેદારી સાથે તેઓની સારવાર કરવામાં આવી રહી છે.
NEW DELHI / દિલ્હી AIIMS માં શિફ્ટ કરવામાં આવશે લાલુ યાદવ, તેજસ્વીએ કહ્યું – ફેફસામાં ભરાયું પાણી, ચહેરા પર…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…