નવી દિલ્હી,
વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીને અત્યારસુધીમાં ઘણી વાર એક સામાન્ય વ્યક્તિની જેમ જ અન્ય કોઈ વ્યક્તિ સાથે મળતા જોયા છે અને તેઓ પોતાની આ ખાસ વિશેષતા માટે જાણીતા પણ છે.
આ જ પ્રકારે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજધાની દિલ્હીમાં ધૌલા કુઆથી દ્વારકા સુધી મેટ્રોમાં મુસાફરી કરી હતી. આ દરમિયાન તેઓ IICC સેન્ટર (ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર)ની આધારશિલા રાખવા માટે પહોચ્યા હતા.
મેટ્રોમાં મુસાફરી દરમિયાન પીએમ મોદીએ ત્યાં ઉપસ્થિત યાત્રીઓ સાથે મુલાકાત પણ કરી હતી, જયારે યાત્રીઓએ PM સાથે સેલ્ફી પણ લીધી હતી.
પીએમ મોદી દ્વારા જે IICC સેન્ટરની ઉદ્ઘાટન કરાયું છે તેની ૧૧ હજાર લોકોની ક્ષમતાનું છે. આ સેંટર દ્વારકાના સેક્ટર ૨૫માં સ્થિત છે.
આ દરમિયાન વડાપ્રધાને જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ પાછળ ૨૬૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અને આ સેન્ટરથી ૮૦ કરોડ યુવાઓ માટે ઉર્જાનું કેન્દ્ર બનશે.