નવરાત્રીની શરૂઆતમાં જ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. આજે સવારથી જ રાજ્યનાં મોટા ભાગનાં શહેરોમાં અવીરત વરસાદ પડી રહ્યો છે. વરસાદને પગલે નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. આપને જણાવી દઇએ કે, નવરાત્રીનાં શરૂ થયા પહેલા જ હવામાન વિભાગે વરસાદની આગાહી આપી હતી. ખાસ કરીને 29,30 અને 1 તારીખ સુધી વરસાદ પડે તેવી આગાહી આપવામાં આવી હતી. ધોધમાર વરસાદેનાં કારણે શહેરનાં રસ્તા પાણી-પાણી થઇ ગયા હતા.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં ભારે વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. આગામી ત્રણ દિવસ પણ વરસાદ પડે તેવી પૂરી સંભાવનાઓ છે. આ પહેલા કરવામાં આવેલી આગાહીમાં ત્રણ નોરતા વરસાદ પડે તેવી સંભાવનાઓ હતી પરંતુ હવે વરસાદ આગામી અન્ય નોરતા પણ પડી શકે છે. વરસાદ પડવાથી નવરાત્રીની આતુરતાથી રાહ જોઇ રહેલા ખેલૈયાઓ નિરાશ થયા છે. લગભગ 2 મહિના અગાઉથી ગરબાની તૈયારીઓ કર્યા બાદ વરસાદ ખેલૈયાઓ માટે ક્યાકને ક્યાક બાંધારૂપ બન્યો છે. વળી જગતનાં તાતની વાત કરીએ તો તે પણ આ અવીરત વરસાદથી ચિંતામાં મુકાયો છે.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.