@Chirag Megha
Sabarkantha News: દિનપ્રતિદિન અકસ્માતો (Accident) થવાના બનાવો જોવા મળી રહ્યા છે. બેફામ વાહન ચાલાવતા વાહન ચાલકો પોતાની સાથે બીજાની જીંદગીને પણ જોખમમાં મૂકી રહ્યાં છે. સાબરકાંઠામાં ગાંભોઈ (Gambhoi)થી કરણપુર ગામ વચ્ચે હિટ એન્ડ રનમાં (Hit and Run) એકનું મોત (Death) થયું છે. અજાણ્યો બેફામ વાહન ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં રાહદારીનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ ગાંભોઈ પોલીસને કરાતા વધુ તપાસ થઈ રહી છે.
સાબરકાંઠા નેશનલ હાઈવે 8 પર રાત્રે અકસ્માત સર્જાયો હતો. સાબરકાંઠાના ગાંભોઈથી કરણપુર ગામ વચ્ચે અજાણ્યા વાહન ચાલકે રાહદારીને જોરથી અડફેટે લેતાં રાહદારીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. આ બનાવ બાદ ટક્કર મારનાર વાહન ચાલક ઘટના સ્થળથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાના બાદ ગાંભોઈ પોલીસને હિટ એન્ડ રન કેસની જાણ કરવામાં આવી હતી.
ગાંભોઈ પોલીસ તેમની ટીમ સાથે આવી પહોંચતા હાલમાં પોલીસ તપાસ થઈ રહી છે. વાહન ચાલકને પકડવા શોધખોળ હાથ ધરાઈ છે.
હજુ ગઈકાલે રાજકોટમાં ગમખ્વાર અકસ્માતમાં પિતા-પુત્રનું મોત થયું હતું. સંત કબીર રોડ પર પિતા-પુત્ર બાઈક પર જતા હતા. દરમ્યાન બાઈક સાઈડમાં લેવા જતા નીચે પટકાયા અને તેમના પર ટેન્કર ફરી વળતા ઘટનાસ્થળ પર જ પિતા-પુત્રનું મોત નિપજ્યુ હતું.
આ પણ વાંચો:અડાજણમાં 22 વર્ષીય પરિણીતાનો આપઘાત, પરિવારે ન્યાયની માગ કરી
આ પણ વાંચો: ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીની થઈ જાહેરાત, 4 બેઠક માટે 27 ફેબ્રુઆરીએ થશે મતદાન