Surat News: મોડેલ તાન્યા સિંહના આત્મહત્યા મામલે સુરત પોલીસે તપાસને વધુ સઘન બનાવી છે. આ ઘટનામાં પોલીસે આઈપીએલ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાંથી રમનાર ખેલાડી અભિષેક શર્માને પૂછપરછ માટે બોલાવી શકે છે.
પોલીસ તપાસમાં હજુ સુધી ઘણા ખુલાસા થયા છે. દરમિયાન પોલીસે તાન્યાનો મોબાઈલ જપ્ત કરી દીધો છે. હવે પોલીસ મોબાઈલની સીડીઆરથી આ ઘટના સુધી પહોંચવા માંગે છે. તાન્યા સિંહ મોડેલિંગ અને ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હતી. તાન્યાએ 19 ફેબ્રુઆરીએ આત્મહત્યા કરી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે અભિષેક શર્માને તાન્યાએ ઈન્સ્ટાગ્રામ પર આઈપીએલ ક્રિકેટરને પોતાના ઘણા ફોટો મોકલ્યા હતા. જોકે, અભિષેક શર્માએ તાન્યાને કોઈ જવાબ આપ્યો ન હતો. સુરત પોલીસે કહ્યું હતું કે તાન્યા સિંહે પંખાથી લટકીને આત્મહત્યા કરી છે. મૃતકના પિતાએ વેસુ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ હાલમાં કોલ ડિટેઈલના આધારે તપાસ કરી રહી છે. તેનાથી જોડાયેલા લોકોને પોલીસે નોટિસ પાઠવી છે. અભિષેક શર્માની અને તાન્યા સિંહ વચ્ચે મિત્રતા પ્રેમમાં પરિણમી છે કે નહીં તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. જરૂર પડશે તો અભિષેક શર્માને પૂછપરછ માટે બોલાવવામાં આવશે. અભિષેક શર્મા વિરૂદ્ધ હાલમાં કોઈ પુરાવા મળ્યા નથી.
અભિષેક શર્માનું કરિયર
અભિષેક શર્મા એક ઓલરાઉન્ડર ખેલાડી છે. તેને આઈપીએલમાં 47 મેચોમાં 137.38 ના સ્ટ્રાઈકથી 893 રન બનાવ્યા હતા. તેનો હાઈએસ્ટ સ્કોર 75 રન છે.
આ પણ વાંચો:કર્ણાટક સરકાર 1 કરોડથી વધુ આવક ધરાવતા મંદિરો પર કર વસૂલશે, ભાજપે કર્યો વિરોધ
આ પણ વાંચો:પશ્ચિમ કચ્છમાં આવેલા ભુજમાં બે દિવસ CNG ગેસ વિતરણ વ્યવસ્થા બંધ રખાશે…
આ પણ વાંચો:ભરથાણા ટોલનાકા પાસેથી જંગી કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો