Chhani Temple issue/ છાણી સ્વામિનારાયણ મંદિર વિવાદમાં એકનું મોત

છાણી મંદિરને તાળુ મારવાના મુદ્દે હોબાળો થતાં ઝપાઝપી દરમિયાન એક વ્યક્તિને ધક્કો વાગતા નીચે પડી જવાના લીધે ઇજા થઈ હતી. તેને 108 દ્વારા સયાજી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો હતો, પણ હવે ત્યાં તે વ્યક્તિનું મોત થયું છે. મૃત્યુ પામેલા વ્યક્તિ નું નામ દિનેશ વણકર હોવાનું જાણવા મળે છે. તેઓ મંદિર સાથે સંકળાયેલા હતા અને ધક્કામુક્કીમાં અચાનક ચક્કર આવતા પડી જતા મોત નીપજયુ હોવાનું કહેવાય છે.

Gujarat
Chani Temple છાણી સ્વામિનારાયણ મંદિર વિવાદમાં એકનું મોત

વડોદરાઃ ભગવાનનું ધામ સામાન્ય રીતે લોકોનો વિરામસ્થાન માનવામાં આવે છે. લોકો પોતાને ત્યાં દુઃખસુખ દૂર કરવા આવે છે. પણ આ જ ધામ વિવાદનો વિષય બની જાય તો શું. આ ઘટના છાણી સ્વામિનારાયણ મંદિરની છે. છાણી સ્વામિનારાયણ મંદિર પર તાળુ મારી દેવાતા ભાવિકો અને મંદિરના સંચાલકો વચ્ચે વિવાદ સર્જાયો હતો.

છાણી મંદિરને તાળુ મારવાના મુદ્દે હોબાળો થતાં ઝપાઝપી દરમિયાન એક વ્યક્તિને ધક્કો વાગતા નીચે પડી જવાના લીધે ઇજા થઈ હતી. તેને 108 દ્વારા સયાજી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો હતો, પણ હવે ત્યાં તે વ્યક્તિનું મોત થયું છે. મૃત્યુ પામેલા વ્યક્તિ નું નામ દિનેશ વણકર હોવાનું જાણવા મળે છે. તેઓ મંદિર સાથે સંકળાયેલા હતા અને ધક્કામુક્કીમાં અચાનક ચક્કર આવતા પડી જતા મોત નીપજયુ હોવાનું કહેવાય છે.

છાણી સ્વામિનારાયણ મંદિર પર તાળું મારી દેવાતા ભાવિકો અને મંદિરના સંચાલકો વચ્ચે  વિવાદ સર્જાયો હતો. દરમિયાન મંદિરને તાળું મારવાના મુદ્દે હોબાળો થતા ઝપાઝપી દરમિયાન એક વ્યક્તિને ધક્કો વાગતા નીચે પડી જતા ઇજા પહોંચી હતી. તેને 108ની મદદથી સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે.

વડોદરા શહેર નજીક છાણી ગામમાં સ્વામિનારાયણનું મંદિર આવેલું છે. વડતાલ સ્વામિનારાયણ મંદિર હસ્તકના છાણી સ્થિત મંદિર ની મિલકત અંગે છેલ્લા કેટલાક સમયથી ભક્તજનો વચ્ચે બે ભાગ પડી ગયા હોવાથી વિવાદ ચાલતો હતો. જે અંગે એક વર્ષ પૂર્વે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થઈ હતી અને કેટલાકની ધરપકડ થઈ હતી ત્યારબાદ આજે ફરી એકવાર મંદિરના મિલકત અંગે ટ્રસ્ટીઓ અને સ્થાનિક રહીશો ભાવિક ભક્તો વચ્ચે તાળું મારવાના મુદ્દે વિવાદ સર્જાયો હતો.

તેના ભાવિકો વચ્ચે ધક્કામુકી સર્જાઈ હતી. તેમાં એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. તેથી તેને સારવાર માટે 108 ની મદદથી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હોવાનું છાણી પોલીસે જણાવ્યું હતું. છાણી પોલીસના જણાવ્યા મુજબ દિનેશ મિસ્ત્રી નામના એક વ્યક્તિએ આ અંગે છાણી પોલીસને જાણ કરી હતી. તેથી પોલીસની એક કુમક મંદિરે પહોંચી ગઈ હતી. ક્યા કારણોસર વિવાદ સર્જાયો તે અંગે છાણી પીએસઆઇ ને તપાસ સોંપવામાં આવી છે.

છાણી મંદિર બનાવ્યું છે. ત્યારથી મંદિર માટેની જમીનનો દસ્તાવેજને લઈને વિવાદ વર્ષોથી ચાલી રહ્યો છે. આ અંગે માલિકોએ એસડીએમને ફરિયાદ કરી છે. તે બાદ રિઓર્ડર પણ થયા છે. તેમાં ચુકાદો આવ્યો હોવાનું જણાવી તાળું મારી દેવાયુ હોવાનું  છાણી પીઆઇ પટેલે કહ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર મંદિરને તાળું લાગતા ભક્તો વચ્ચે ધક્કા મૂકી થઈ હતી. તે વખતે એક વ્યક્તિ દિનેશ વણકરને ચક્કર આવતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે સીસી કેમેરા ચેક કર્યા પછી સઘન તપાસ શરૂ કરવામાં આવશે એમ પણ પીઆઈએ જણાવ્યું હતું.

 

આ પણ વાંચોઃ ઓડિયો વાયરલ બાદ વિવાદ/દેશનું ખાઈને દેશને બદનામ કરતો આ પોરબંદરના મૌલવીએ એવું તો શું ષડયંત્ર?

આ પણ વાંચોઃ જુઓ વીડિયો/બગોદરા હાઇવે અકસ્માતમાં મૃત્યુ પામેલા 6 લોકોની એક સાથે ઉઠી અર્થી, ગામમાં છવાયો હૈયાફાટ આક્રંદ

આ પણ વાંચોઃ દુર્ઘટનામાં શ્રદ્ધાળુઓએ ગુમાવ્યો જીવ/હરિદ્વારથી કેદારનાથ જતા ગુજરાતના ચાર લોકોના મોત

આ પણ વાંચોઃ Rajkot Accident/રાજકોટમાં છેલ્લા બે દિવસમાં ત્રણ અકસ્માતમાં ત્રણના મોત

આ પણ વાંચોઃ શંકાસ્પદ/15મી ઓગષ્ટ પહેલા વલસાડના દરિયામાંથી મળી એવી વસ્તુ કે પોલીસ દોડતી થઇ ગઇ..