તેલંગાણા રાષ્ટ્ર સમિતિના પ્રમુખ કે.ચંદ્રશેખર રાવ જે તેલંગાણાનાં મુખ્યમંત્રી છે, તેઓ આજે પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જીને મળશે
મોદી અને બીજેપી સામે લડવા માટે વિપક્ષ સાથે આવી રહ્યાં છે. આવતી ચુંટણીમાં કોંગ્રેસ અને બીજેપીનાં વિકલ્પ સિવાય ક્ષેત્રીય દળોને મળીને એક અલગ ગઠબંધન કરીને ત્રીજા મોરચા પર ચુંટણી લડવા પર ભાર મુક્યો છે.
ગઈકાલે કે.ચંદ્રશેખર રાવ ઓડિશાનાં મુખ્ય મંત્રી નવીન પટનાયકને પણ મળ્યાં હતા. આજે તેઓ કોલકત્તામાં તેઓ તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ અને પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીને આજે આ મુદ્દે વાત કરવા માટે બીજી વખત મુલાકાત કરશે.
જયારે બીજી તરફ શુક્રવારે નેશનલ કોંગ્રેસનાં પ્રમુખ અને જમ્મુ કાશ્મીરનાં પૂર્વ મુખ્ય મંત્રી ફારુક અબ્દુલા કોલકત્તામાં રાજ્ય સચિવાલયમાં મમતા બેનર્જીને મળ્યાં હતા.