MP Ganeshmurthy/ સાંસદ ગણેશમૂર્તિનું હાર્ટ એટેકથી મોત, લોકસભા ચૂંટણી 2024ની ટિકિટ ન મળતા ઝેર પી લીધું

તમિલનાડુના ઈરોડના વર્તમાન લોકસભા સાંસદ એમડીએમકેના એ. ગણેશમૂર્તિનું ગુરુવારે સવારે નિધન થયું હતું.

Top Stories India Breaking News

તમિલનાડુના ઈરોડના વર્તમાન લોકસભા સાંસદ એમડીએમકેના એ. ગણેશમૂર્તિનું ગુરુવારે સવારે નિધન થયું હતું. મળતી માહિતી મુજબ, આજે સવારે 5:05 વાગ્યે કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું નિધન થયું હતું. તમને જણાવી દઈએ કે કથિત રીતે આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ તેને 24 માર્ચે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેની સારવાર ચાલી રહી હતી.

રવિવારે સવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

પોલીસે જણાવ્યું કે સાંસદ ગણેશમૂર્તિના પરિવારજનો તેમને રવિવારે સવારે લગભગ 9.30 વાગ્યે હોસ્પિટલમાં લાવ્યા હતા. ચેકઅપ બાદ ડોક્ટર્સે તેને ICUમાં શિફ્ટ કરીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો.

પરિવારજનોનો દાવો- સાંસદે ઝેર પીધું

એક અહેવાલ અનુસાર, તેમના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે સાંસદે જંતુનાશક સલ્ફાસ ઝેરનું સેવન કર્યું હતું. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે સાંસદ એ ગણેશમૂર્તિએ લોકસભા ચૂંટણી 2024 માટે ટિકિટ ન મળતાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે, જ્યારે ડોક્ટરોને આ અંગે પૂછવામાં આવ્યું તો તેઓએ આ અંગે કોઈ નિવેદન આપવાનો ઈન્કાર કરી દીધો. બાદમાં સાંસદને કોઈમ્બતુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આરોઠે પિતા – પુત્રના છેતરપિંડી કેસમાં SOG નો નવો ખુલાસો, સ્વામિનારાયણ મંદિરના કર્યા હતા….

આ પણ વાંચો:માતમમાં ફેરવાઈ હોળીની ખુશી, ગુજરાતમાં ડૂબી જવાથી 20 લોકોના મોત; સાબરમતી નદીમાં સૌથી વધુ 12 લોકોએ ગુમાવ્યો જીવ

આ પણ વાંચો:એવું તો શું થયું કે, ગુજરાત હાઈકોર્ટે રેલવેને લગાવી ફટકાર, કહ્યું- સહન નહીં કરી શકીએ…