Delhi News : દિલ્હીના મુખ્યમંત્રી ઇરવિંદ કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલે31 માર્ચે રામલીલા મેદાનમાં ઈન્ડીયા બ્લોક રેલીમાં ભાગ લીધો હતો. તેમણે તેમના પતિ માટે એક મેસેજ વાંચ્યો હતો જેમાં હાલમાં ઉત્પાદ શુલ્ક નિતી સાથે સંકળાયેલા મની લોન્ડ્રિંગ મામલામાં ઈડીની કસ્ટડીમાં છે. તેમણે મેસેજમાં કહ્યું હતું કે તમારા પોતાના અરવિંદ કેજરીવાલે જેલમાંથી એક સંદેશ મોકલ્યો છે. આ સંદેશ વાંચતા પહેલા હું તમને કંઈક પુછવા માંગુ છું. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારા પતિને જેલમાં ધકેલી દીધા, શું પ્રધાનમંત્રીએ બરાબર કામ કર્યું છે. શું તમે માનો છો કે કેજરીવાલજી એક સાચા દેશભક્ત અને ઈમાનદાર વ્યક્તિ છે ? તેમણે રાજીનામુ આપી દેવું જોઈએ ? તમારા કેજરીવાલ શેર છે. તે તેમને લાંબા સમય સુધી જેલમાં નહી રાખી શકે.
સુનીતા કેજરીવાલે એ પણ કહ્યું કે ભારત માતા પીડામાં છે. આ અત્યાચાર નહી ચાલે. ઈન્ડીયા બ્લોક રેસીમાં તેમણે કહ્યું કે મારા પતિને ખૂબ આશીર્વાદ મલી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ હતી જેમાં વિપક્ષના ઘણા મોટા નેતા હાજર રહ્યા હતા. જેમાં રાહુલ ગાંધી, ઉધ્ધવ ઠાકરે, અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવ જેવા નેતાઓ સામેલ હતા.
આ પણ વાંચો:“સર નશામાં હતા…” મહિલા ફૂટબોલ ટીમની ખેલાડીની સાથે AIFF અધિકારી દ્વારા હોટલમાં કથિત રીતે માર પીટ
આ પણ વાંચો:કેજરીવાલ બાદ દારૂ કૌભાંડમાં કૈલાશ ગેહલોત પર કાર્યવાહી, ED ઓફિસમાં 5 કલાક સુધી સવાલ-જવાબ
આ પણ વાંચો:ટૂંક સમયમાં જ બહાર પાડવામાં આવશે ભાજપનો ચૂંટણી ઢંઢેરો, રાજનાથ સિંહના નેતૃત્વમાં સમિતિની રચના