સુરત,
પીએમ મોદી એક દિવસીય ગુજરાતના પ્રવાસે છે ત્યારે પીએમ મોદીનું સુરતના એરપોર્ટ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. સીએમ રૂપાણીએ પીએમનું સુરત એરપોર્ટ પર સ્વાગત કર્યુ હતું.
બાદમાં તેઓ વિનશ હોસ્પિટલ ખાતેના સભા સ્થાને પહોંચ્યા હતા. જ્યાં સાંસદ સીઆર પાટીલ તેમજ ભાજપના અગ્રણીઓ દ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંસદ સીઆર પાટીલે પ્રાસંગિક સંબોધન કરીને પીએમને આવકાર્યા હતા.
પૂર્ણ બહુમતની સરકાર મોટા નિર્ણયો લઈ શકે છે: PM મોદી
છેલ્લા 4 વર્ષમાં આગણ વધ્યા તેનું કારણ પૂર્ણ બહુમતી: PM મોદી
એક વોટની તાકાતથી ગરીબોને ઘર મળ્યું: PM મોદી
મકાન લેનારાને 6 લાખની બચત થાય તેવી વ્યવસ્થા કરી : PM મોદી
અગાઉની સરકારે 25 લાખ ઘર બનાવાયાં : PM મોદી
અમારા શહેરોમાં ટ્રાફિક જામ ના હોય : PM મોદી
આવનારો સમય સુરત અને ભારતના શહેરોનો છે : PM મોદી
એક દિવસમાં 1800 મુસાફરોની ક્ષમતા ધરાવશે સુરત એરપોર્ટ : PM મોદી
સુરત એરપોર્ટ ગુજરાતનું ત્રીજા નંબરનું સૌથી વ્યસ્ત એરપોર્ટ બની જશે: PM મોદી
આવનારા વર્ષોમાં દુનિયાના ટોપ 10 શહેરોમાં સુરત રહશે: PM મોદી
ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, સુરતને ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે.
વિકાસના કામ એટલા માટે શક્ય બન્યા છે કે પીએમ મોદી ખાતો નથી અને ખાવા દેતો નથી. આ કારણે સરકારી તિજોરીમાં લોકોના કરવેરાના રૂપિયા ભ્રષ્ટાચારથી બરબાદ થતા હતા. રાજીવ ગાંધી કહેતા કે 85 પૈસા ખવાઈ જાય છે અને 15 પૈસા પહોંચે છે.
ત્યારે પીએમ મોદીએ લોકોના એક એક રૂપિયાનો સવાયો ઉપયોગ કર્યો. આ કારણે હજારો કરોડોના કામ ગુજરાતમાં ચારેતરફ ચાલી રહ્યા છે. સુરતના વિકાસને આ કારણે હરણફાળ પ્રગતિ જોવા મળી રહી છે.