રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજ સોમવારથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવશે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા રવિવારે જારી એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. નિવેદનમાં જણાવાયું છે કે રાષ્ટ્રપતિ તરીકે આ તેમની પ્રથમ ગુજરાત મુલાકાત હશે. નિવેદન અનુસાર, મુર્મુ સોમવારે અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત લઈને તેમના પ્રવાસની શરૂઆત કરશે. “બાદમાં તે GMERS, ગાંધીનગર ખાતે આરોગ્ય, સિંચાઈ, પાણી પુરવઠા અને બંદર વિકાસ સંબંધિત વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન/શિલારોપણ કરશે,” નિવેદનમાં જણાવાયું છે.
ગાંધીઆશ્રમ બાદ તેઓ GMERS, ગાંધીનગર ખાતે આરોગ્ય, સિંચાઈ, પાણી પુરવઠા અને બંદર વિકાસ સંબંધિત વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન/શિલારોપણ કરશે,” સાંજે તેઓ ગાંધીનગરમાં ગુજરાત સરકાર દ્વારા તેમના સન્માનમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે.
મુર્મુ 4 ઓક્ટોબરે મહિલા ઉદ્યોગ સાહસિકો માટે ગુજરાત યુનિવર્સિટીનું સ્ટાર્ટ-અપ પ્લેટફોર્મ ‘હાર્સ્ટાર્ટ’ લોન્ચ કરશે અને અમદાવાદ સ્થિત યુનિવર્સિટીમાં શિક્ષણ અને આદિજાતિ વિકાસ સંબંધિત વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.