શપથવિધિ/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાતમાં આગમન, રાત્રિ રોકાણ રાજભવનમાં કરશે, કાલે શપથવિધિ કાર્યક્રમમાં હાજર રહેશે

ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ સર્વાનુમતે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલને ચૂંટયા છે,તેમના શપથગ્રહણ વિધિમાં વડાપ્રધાન મોદી પણ ઉપસ્થિત રહેવાના છે

Top Stories Gujarat
10 10 વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાતમાં આગમન, રાત્રિ રોકાણ રાજભવનમાં કરશે, કાલે શપથવિધિ કાર્યક્રમમાં હાજર રહેશે

ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ સર્વાનુમતે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલને ચૂંટયા છે,તેમના શપથગ્રહણ વિધિમાં વડાપ્રધાન મોદી પણ ઉપસ્થિત રહેવાના છે. 12 ડિસેમ્બરે ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી પદની શપથવિધિ યોજાવાની છે. જેને લઇને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. ત્યારે વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધીનગર રાજભવન રવાના થયા છે. જ્યાં મોદી રાત્રિ રોકાણ કરશે. જોકે, સોમવારે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શપથવિધિ યોજાશે. જેમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદના શપથ લેશે. તો સાથેસાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે.

ભાજપના નેતા ભૂપેન્દ્ર પટેલ સોમવારે ગાંધીનગરમાં વડાપ્રધાન મોદી અને અન્ય મહાનુભાવોની હાજરીમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે અમદાવાદ પહોંચી ગયા છે. અમદાવાદ પહોંચીને વડાપ્રધાન મોદીએ રવિવારે મોડી રાત્રે રોડ શો કર્યો હતો. આ દરમિયાન રસ્તાની બંને બાજુ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. લોકો મોદી મોદીના નારા લગાવતા જોવા મળ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પટેલની આ સતત બીજી ટર્મ હશે. ગાંધીનગરમાં નવા સચિવાલય પાસેના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે બપોરે 2 વાગ્યે આયોજિત સમારોહમાં જયપાલ આચાર્ય દેવવ્રત પટેલને રાજ્યના 18મા મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ભાજપને મળેલા રેકોર્ડબ્રેક જીતની શપથવિધિ પણ ભવ્ય જોવા મળશે આમાં વિજેતા ધારાસભ્યો, મુખ્યમંત્રીના મહેમાનો, ઉદ્યોગપતિઓ, કલાકારો, સંતો, વીઆઇપી લોકો અને સામાન્ય જનતાનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં કોઇને પણ સમસ્યા ન થાય તે પ્રકારે જડબેસલાક આયોજન કરવામાં આવ્યું છે.મુખ્યશપથમંત્રી આવતીકાલે વડાપ્રધાનની હાજરીમાં શપથગ્રહણ કરશે.