વૈજ્ઞાનિકોએ એક અધ્યયનમાં શોધી કાઢ્યું છે કે, મરચું ખાવાથી હાર્ટ એટેકનું જોખમ ઓછું થાય છે. તેઓએ શોધી કાઢ્યું છે કે, જેઓ અઠવાડિયામાં ચાર કરતા વધુ વખત મસાલેદાર ભોજન આરોગે છે, તેમાં હાર્ટ એટેકનું જોખમ સામાન્ય રીતે 40% જેટલું ઓછું થઇ જાય છે.
બીજી બાજુ, મરચા ખાતા ન હોય તેવા લોકો કરતા તેમના મૃત્યુ દર 23% ઓછા હતા. રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે અભ્યાસનું પરિણામ એકદમ આઘાતજનક છે, પરંતુ તેના પર હજી વધુ કામ બાકી છે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર મરચા ખાનારા લોકો માટે તે ખૂબ સારું છે. મળતી માહિતી પ્રમાણે મરચાં ઉપરાંત વિવિધ પ્રકારની ઔષધિઓ અને મસાલાઓનો ઉપયોગ કરી શકાય છે. ઉપરાંત, ઘણા પ્રકારના તાજા ફળો અને શાકભાજી પણ આમાં મદદ કરી શકે છે. જો કે, મરચું એક એવી વસ્તુ છે જે દરેક શાકભાજીમાં જોવા મળે છે.
મરચાં એ આપણી ભારતીય અન્ન સંસ્કૃતિનું મૂળભૂત તત્વ છે. લોકો તેના ફાયદાકારક ગુણધર્મોને કારણે સદીઓથી તેનો વપરાશ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.