ક્રિકેટર પ્રેમ/ રોહિત શર્માના ચાહકે લીધો વિરાટ કોહલીના ચાહકનો જીવ, આ છે કારણ..

ભારતીય ક્રિકેટરોના ચાહકોની ગણના કરવી મુશ્કેલ નહીં પણ અસંભવ છે, એકથી એક ચઢિયાતા ફેન જોવા મળે છે ઘણા ફેન તો  ખેલાડીઓ ભગવાનની જેમ પૂજે છે

Top Stories Trending Sports
7 18 રોહિત શર્માના ચાહકે લીધો વિરાટ કોહલીના ચાહકનો જીવ, આ છે કારણ..

ભારતીય ક્રિકેટરોના ચાહકોની ગણના કરવી મુશ્કેલ નહીં પણ અસંભવ છે, એકથી એક ચઢિયાતા ફેન જોવા મળે છે. ઘણા ફેન તો  ખેલાડીઓ ભગવાનની જેમ પૂજે છે. તેની એક ઝલક મેળવવા માટે તે પોતાનો જીવ પણ જોખમમાં મુકતા અચકાતા નથી. ઘણી વખત એવું પણ જોવા મળ્યું છે કે જ્યારે તેમના ફેવરિટ પ્લેયર્સને મળવા ચાહકો મેદાનમાં પહોંચી જાય છે. અહિં સુધી વાત બરોબર છે પરંતુ તમિલનાડુમાં ક્રિકેટને લઈને બે મિત્રો વચ્ચે એવી ચર્ચા થઈ કે તેણે લોહિયાળ રંગ લીધો અને એકે બીજાનો જીવ લીધો.

તમિલનાડુમાં બે મિત્રો વચ્ચે રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે શ્રેષ્ઠ ક્રિકેટર કોણ છે તે અંગે ચર્ચા ચાલી રહી હતી. બંને વચ્ચે મામલો એટલો વધી ગયો કે એકે છરી કાઢીને બીજા  પર હુમલો કર્યો અને તેનું મોત થયું. બંને મિત્રો સાથે ડ્રિંક કરવા જતા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે વિરાટ કોહલીના ચાહરે રોહિત શર્મા સાથે ખરાબ વર્તન કર્યું હતું. મામલો એ હદે પહોંચી ગયો હતો કે રોહિત શર્માનો ચાહક તે સહન ન કરી શક્યો અને તેણે વિરાટના ચાહકને ચાકુ મારી દીધું. આ સમાચાર ફેલાતાની સાથે જ પોલીસે પણ તેની તપાસ શરૂ કરી હતી.

આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર ઘણી વાતો વાયરલ થઈ રહી છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે રોહિત શર્માના ચાહકે વિરાટ કોહલી અને RCBની મજાક ઉડાવી તો તેણે ગુસ્સામાં તેના માથા પર બેટથી હુમલો કર્યો. આ પછી રોહિતના ફેને તેના પાર્ટનરના માથા પર બિયરની બોટલ વડે માર્યું હતું. તે પછી છરી વડે હુમલો કરવાની ઘટના બની, જેના કારણે પોતાને કોહલીનો પ્રશંસક ગણાવનાર વ્યક્તિનું મોત થયું.