એક તરફ કોરોના કેસ માં સતત વધતા જોવા મળી રહ્યા છે ત્યારે અમદાવાદમાં આગામી બે દિવસ ફરી ગરમીમાં વધારો થઇ શકે છે અને તાપમાન ૪૨ ડિગ્રીને પાર જવાની સંભાવના છે.ત્યારે બનાસકાંઠા,રાજકોટ,ભાવનગર, અમરેલી, જુનાગઢ, કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
સોમવારે દિવસ દરમિયાન અમદાવાદમાં ૪૧ ડિગ્રી સાથે કાળઝાળ ગરમી પડી ર્હી હતી . હજુ પણ આગામી બે દિવસ માં અમદાવાદમાં તાપમાન ૪૨ ડિગ્રીથી વધે તેની સંભાવના છે. ૪૧ ડિગ્રી સાથે આજે અમદાવાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર બની રહ્યા હતા.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાનો પવન છે. આગામી ૪-૫ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં વધારે ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. રાજ્યમાં મંગળવાર બાદ વરસાદની સંભાવના નથી. બુધવારથી સૂકું વાતાવરણ જોવા મળશે .