- સી-પ્લેન મેઇન્ટેનન્સ માટે બે દિવસ બંધ
- ત્રણ દિવસની ઉડાન પછી બે દિવસ માટે બંધ
- દર પાંચ દિવસે મેઇન્ટેનન્સ માટે બે દિવસનો બ્રેક
- વધુ એક પાઇલોટ-એટેન્ડન્ટ ઉમેરાશે
- ત્રણ દિવસમાં 80 પેસેન્જરી કરી મુસાફરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ ગુજરાતમાં સી-પ્લેન સેવા આમ તો તેમનાં જ હસ્તે થોડા દિવસો પૂર્વે જ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ ગુજરાત પ્રવાસનને વેગ આપશે તેવા હેતુ સાથે ખુલ્લો મુકવામાં આવ્યો છે. જો કે, સી-પ્લેન સેવાને જેટલી મળવી જોઇતી હતી તેવી પ્રારંભીક સફળતા નથી મળી રહી તે પણ સી-પ્લેનનાં બુકીંગ આંકડા પર થી કહી શકાય. ત્યારે સી-પ્લેન સેવા બંધ રહેશે તેવી વિગતો સામે આવી રહી છે.
Kutch / શાહના આગમન પહેલાં BSFના વડા રાકેશ અસ્થાના કચ્છની સૂચક મુલાકા…
જી નહીં, સી-પ્લેન સેવા બંધ રહેશે એટલે કે કાયમી બંધની વાત નથી. સી-પ્લેન મેઇન્ટેનન્સ માટે અઠવાડીયામાં બે દિવસ બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસની ઉડાન પછી બે દિવસ માટે સી-પ્લેન સેવા બંધ રાખવામાં આવશે. દર પાંચ દિવસે મેઇન્ટેનન્સ માટે બે દિવસનો બ્રેક લેવામા આવશે.
us election 2020 / પરિણામોમાં ભારત-અમેરિકન સમુદાયની મહત્વપૂર્ણ ભૂમિકા, મોદી સરક…
સી-પ્લેન સેવાની બેહતરી માટે આમ તો વધુ એક પાઇલોટ-એટેન્ડન્ટનો ઉમેરો પણ કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે છેલ્લા ત્રણ દિવસમાં એટલે કે શરુ કરવામાં આવી ત્યારથી સી-પ્લેનમાં 80 પેસેન્જરે મુસાફરી કરી છે.સી-પ્લેન મેઇન્ટેનન્સ માટે બે દિવસ બંધ રહેશે.
જુઓ આ વિશેષ અહેવાલ – Ahmedabad : સી-પ્લેન મેઇન્ટેનન્સ માટે બે દિવસ બંધ | AMC |