ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે ૬ ODI મેચની શ્રેણીમાં ટીમ ઇન્ડિયાએ પોર્ટ એલિઝાબેથમાં મંગળવારે પાંચમી વન ડેમાં દક્ષિણ આફ્રિકા સામે વિજય મેળવ્યો હતો, જેની રાહ 26 વર્ષથી જોવાઈ રહી હતી. ટીમ ઇન્ડિયાને ટોસમાં પહેલી બેટિંગ મળી હતી. જેમાં સમગ્ર સીરીઝમાં ફેલ રહેલ રોહિત શર્માની 115 રનની મહત્વની ઈનીંગની મદદથી 50 ઓવરમાં સાઉથ આફ્રિકા સામે 7 વિકેટ ગુમાવી 274 રન બનાવ્યા હતાં. જેમાં લુન્ગી એનગીડી એ અસરકારક બોલિંગથી 4 અતિમહત્વ રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, શ્રેયસ ઐયર, અને એમ એસ ધોનીની વિકેટ મેળવી હતી. જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ ફક્ત 201 રન પર જ ઓલ આઉટ થઈ ગઈ અને 73 રને ટીમ ઇન્ડિયાએ જીત મેળવી લીધી.
આ શ્રેણીમાં બેટિંગ ધ્વારા ખાસ પ્રદર્શનના કરનાર પરંતુ આ મેચમાં તેમણે ન માત્ર પોતાની ઘાતક બોલિંગ અને ફિલ્ડિંગથી પણ ગજબનું પ્રદર્શન કરી હાર્દિક પંડ્યાએ આ મેચમાં બે અતિ મહત્વની વિકેટ લઇ આફ્રિકન ટીમની બેટિંગ ઓર્ડરની કમર તોડી નાખી અને ટીમ ઇન્ડિયાની જીતમાં મહત્વનો ફાળો આપ્યો હતો.
લેફ્ટ આર્મ ચાઈના મેન તરીકે જાણીતા કુલદીપ યાદવે 4 વિકેટ જયારે યજુવેન્દ્ર ચહલે 2 વિકેટ મેળવી હતી.
આ જીત પછી વિરાટ કોહલી બ્રિગેડની વન-ડે શ્રેણીમાં 4-1થી અજેયની શરૂઆત થઈ અને શુક્રવારે રમવા માટે તે છેલ્લી વન-ડે મેચ માત્ર ઔપચારિકતા બની. વિજય પછી ટીમ ઇન્ડિયાના કપ્તાન વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે, વન-ડે શ્રેણીમાં 4-1થી જીતી ગયા પણ અમારી નજર હવે 5-1 થી વિજય મેળવવાનો છે. ભારતીય ટીમ સૌ પ્રથમ વખત દક્ષિણ આફ્રિકામાં તેની સામે શ્રેણી જીતી હતી.