ગાંધીનગરમાં વિધાનસભાના સત્રનો સોમવારથી પ્રારંભ થયો છે. રાજ્યપાલ દેવવ્રત આચાર્યના સંબોધનથી પ્રારંભ થયો છે. વિધાનસભાના સત્ર પહેલાં રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, આ વિધાનસભા સત્રમાં સરકાર લવજેહાદનો કાયદો લાવશે.
ભાવ વધારો / ગૃહિણીની વધી ચિંતા, LPG સિલિન્ડરમાં 25 રૂપિયાનો ભાવ વધારો
ઉલ્લેખનીય છે કે આજ થી વિધાનસભાનું બજેટ સત્ર શરુ થયું છે. જેમાં બજેટ સાથે અન્ય મુદ્દાઓ પર પણ સરકાર ચર્ચા આકરી શકે છે. જેમાં લાવ જેહાદ મુખ્ય બની શકે છે. યુપીમાં લવ જેહાદ મુદ્દે કાનુન બન્યા બાદ ગુજરાતમાં પણ અંગે ચર્ચાઓ ઉભી થઈ હતી. અને છેલ્લે ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજ્યના મુખ્યમંત્રીએ પણ લવ જેહાદ અંગે ગુજરાતમાં કાયદો બનાવવાવા મુદ્દે જાહેરાત કરી હતી.
સુવિધા / PM મોદીએ કહ્યું – દેશમાં બીજી કૃષિ ક્રાંતિની જરૂર છે, ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધેએ સમયની માંગ છે