છોટાઉદેપુર જીલ્લાના રાયપુર ખાતે આવેલી આશ્રમ શાળા લગભગ 42 વર્ષ જૂની છે. તેમજ જર્જરીત થઇ ગઇ છે. આ આશ્રમશાળામાં 134 વિદ્યાર્થીઓ ભણે છે.
પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી આ શાળા જર્જરીત થઇ ગઈ છે. અને અહી આવતા વિદ્યાર્થી ઓ ભયના મહોલમાં ભણે છે. ગમે ત્યારે ધરાશાયી પણ થઇ શકે છે. પરંતુ ઘોર નીંદ્રામાં સુઇ રહેલુ તંત્ર હજૂ સુધી આ મામલે જાગ્યું નથી.
આ સિવાય અહી ભોજનની પણ વ્યવસ્થા નથી. જેના કારણે વિદ્યાર્થીઓ જાતે પોતાનું ભોજન બનાવે છે. અહીના બાળકોની ટુકડીઓ પાડીને દરરોજ જુદા જુદા વિદ્યાર્થી ઓ જમવા બનાવી રહ્યા છે.
આ જમવા બનાવવાને કારણે બાળકોનો મોટાભાગનો સમય જમવાનું બનાવવામાં જ જતો રહે છે. જો આમને આમ બાળકો જમવાનું બનાવશે તો ભણશે ક્યારે તે એક સવાલ ઉઠે છે.