@હિરેન ચૌહાણ
- રખડતા ઢોર સાથે બાઈક અથડાતા યુવક પટકાયો હતો
- જયેશ જેઠવા નામના યુવાનનું સારવાર દરમ્યાન મોત
- 40 દિવસની લાંબી સારવાર બાદ યુવાનનું નીપજ્યું મોત
- મનપાની ઢોર પકડવાની કામગીરી સામે અનેક સવાલ
રાજ્યમાં રખડતા ઢોરને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.જો કે, આ સીલસીલો હજુ પણ યથાવત છે.ભાવનગર શહેરમાં રખડતા ઢોરે અનેકનો ભોગ લીધો છે. છતા પણ તંત્રના પેટનું પાણી હલતું નથી.ત્યારે ફરી ભાવનગરમાં રખડતા ઢોરના કારણે વધુ એક નિર્દોષ યુવાનનો ભોગ લેવાયો છે.
જયેશ જેઠવા નામનો યુવાન પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો એ દરમિયાન ઘોઘા સર્કલ પાસે રખડતા ઢોર સાથે બાઈક અથડાતા યુવાન પટકાયો હતો. જે બાદ યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો..જેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં 40 દિવસની લાંબી સારવાર બાદ યુવાનનું મોત નીપજ્યું છે. આ બનાવને લઈ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જો તંત્ર દ્વારા યોગ્ય પગલા ભરવામાં નહીં આવે તો ભાવનગરમાં હજી પણ કેટલા નિર્દોષ લોકોના જીવ રખડતા ઢોરના કારણે જશે તે કહેવું મુશ્કેલ છે.
આ પણ વાંચો:લો બોલો! લોહીના સંબંધો લજવાણા, મોટા ભાઈ-બહેને નાની બહેનની ચડાવી બલી
આ પણ વાંચો:ભારતમાં પહેલીવાર જન્મના માત્ર ચાર દિવસમાં બાળકનું કરાયું અંગદાન
આ પણ વાંચો:દાહોદમાંથી છોકરી વેચવાનું નેટવર્ક ઝડપાયું, ત્રણ આરોપીની ધરપકડ
આ પણ વાંચો:રોજગારી માંગતા સરપંચ પતિએ માર માર્યો