રાજધાની અંકારામાં તુર્કીની સંસદની નજીક વિસ્ફોટ આતંકવાદી હુમલો હતો, જેમાં બે પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે. દેશના ગૃહમંત્રી અલી યેર્લિકાયાએ રવિવારે આ વાત કહી. યેરલિકાયાએ જણાવ્યું હતું કે, બે હુમલાખોરો લગભગ 9.30 વાગે કોમર્શિયલ વાહનમાં આવ્યા અને હુમલો કર્યો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક હુમલાખોરે મિનિસ્ટ્રી બિલ્ડિંગની સામે પોતાની જાતને ઉડાવી દીધી હતી અને બીજાનું પણ મોત થયું હતું. આ વિસ્ફોટ સંસદની કાર્યવાહી ફરી શરૂ થવાના થોડા કલાકો પહેલા થયો હતો. અગાઉ સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે સંસદની નજીક વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. એવા પણ અહેવાલો છે કે વિસ્તારમાં ગોળીબારનો અવાજ સંભળાયો હતો અને ઈમરજન્સી સેવાઓ ઘટના સ્થળે પહોંચી હતી. સંસદની આસપાસ સુરક્ષા સઘન કરવામાં આવી છે.
વેરવિખેર કાટમાળ જોવા મળ્યો
આ વિસ્ફોટમાં કેટલા નાગરિકો ઘાયલ થયા છે અને કેટલાના મોત થયા છે તે અંગે હાલ કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. આ પહેલા તુર્કીના મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં ગૃહ મંત્રાલયની નજીકના રસ્તા પર કાટમાળ પથરાયેલો જોવા મળ્યો હતો.
ન્યૂઝ ચેનલ અલજઝીરા અનુસાર, ઉનાળાની રજાઓ બાદ આજથી તુર્કીની સંસદ શરૂ થઈ રહી છે. ગૃહ મંત્રાલય અને સંસદ ભવન નજીક જ્યાં હુમલો થયો હતો ત્યાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. એવી અપેક્ષા હતી કે રાષ્ટ્રપતિ એર્દોગન પણ આજે ભાષણ આપી શકે છે. તે અન્ય સાંસદો સાથે સંસદમાં પહોંચી શકે છે.
તપાસ શરૂ કરી
તુર્કી મીડિયાના જણાવ્યા અનુસાર, વિવિધ શંકાસ્પદ બેગ અને પેકેજોને ઘટનાસ્થળેથી નિયંત્રિત રીતે દૂર કરવામાં આવી રહ્યા છે. આ કારણે બે જોરદાર બ્લાસ્ટ થયા, જેમાંથી એક ટીવી પર પણ બતાવવામાં આવ્યો. આ બ્લાસ્ટ નિષ્ણાતોની દેખરેખ હેઠળ કરવામાં આવ્યો હતો.
તુર્કીના ન્યાય પ્રધાન યિલમાઝ તુને કહ્યું કે મુખ્ય સરકારી વકીલની ઓફિસે આ હુમલાની તપાસ શરૂ કરી દીધી છે. તેમણે કહ્યું કે આ પ્રકારના હુમલા આતંકવાદ સામેની લડાઈમાં કોઈ અડચણ નહીં બને. આતંકવાદ સામેની અમારી લડાઈ ચાલુ રહેશે. આમાં કોઈએ શંકા ન કરવી જોઈએ.
આ પણ વાંચો:pak/પાકિસ્તાન એરપોર્ટ પર સાઉદી જઈ રહેલા 16 ભિખારીઓને ફ્લાઇટમાંથી ઉતાર્યા
આ પણ વાંચો:Pakistan/આતંકી હાફિઝ સઇદના નજીકના ફારૂકની હત્યા, જાહેરમાં ગોળીઓ ધરબી દીધી
આ પણ વાંચો:Pakistan/મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદના પુત્રની હત્યા? 4 દિવસથી હતો ગુમ