ગુજરાત રાજ્યનું પ્રથમ પેપરલેસ બજેટ આજે રજૂ કરવામાં આવી રહ્યું છે.
જેમાં નાણાકીય વર્ષ 2021-22 નું બજેટ ઓનલાઇન જોઇ શકાશે.
કેન્દ્ર સરકારનાં પેપરલેસ બજેટ બાદ ગુજરાત સરકારે પણ આ રીતે બજેટ રજૂ કરવાનો નિર્ણય કર્યો છે.
આપને જણાવી દઇએ કે, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ 9મી વખત બજેટ રજૂ કરી રહ્યા છે.
વળી આ બજેટ દરમિયાન 120 ધારાસભ્યો ગૃહમાં હાજરી આપી રહ્યા છે.
- વિકાસ થાય સુખ શાંતિ સલામતી મળી રહે એ પ્રમાણેનું બજેટ રજુ કરીશુ
- આજે વિધાનસભામાં 2021-22 નું બજેટ રજુ કરશે
- હું જે રકમ જાહેર કરીશ તેનાથી દરેક વર્ગને થશે લાભ
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે રૂ. ૧૧,૩૨૩ કરોડની જોગવાઈ
- રાજ્યમાં ૯૨૩૧ પેટા આરોગ્ય કેન્દ્રો, ૧૪૭૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૩૨૧ શહેરી આરોગ્ય કેન્દ્રો અને ૩૪૮ સામુદાયિક આરોગ્ય કેન્દ્રો દ્વારા આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આરોગ્યક્ષેત્રે વિકસાવવામાં આવેલી આ પાયાની સુવિધાઓના કારણે રાજય સરકારે આરોગ્ય સૂચકાંકમાં ખૂબજ સારો સુધારો હાંસલ કરેલ છે.
- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રધાનમંત્રી જન-આરોગ્ય યોજના અને રાજય સરકારની મુખ્યમંત્રી મા-વાત્સલ્ય યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરીવારો માટે ખૂબ જ આશીર્વાદરૂપ પુરવાર થયેલ છે. આ યોજના દ્વારા લાભાર્થીઓને વાર્ષિક રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર વિના મૂલ્ય આપવામાં આવે છે. આ યોજના માટે જોગવાઈ રૂ. ૧૧૦૬ કરોડ.
- રાજ્યમાં ઓછા વજન સાથે જન્મતા બાળકોને વિના મુલ્ય સારવાર પૂરી પાડતી યોજના બાલસખા-૩ માટે રૂ. ૧૪૫ કરોડની જોગવાઈ.
- નવી સિવિલ હોસ્પિટલ, અમદાવાદની સુવિધાઓને અપગ્રેડ કરવા માટે રૂ.૮૭ કરોડની જોગવાઈ.
આ પણ વાંચો- શું તમે જાણો છો વર્ષ 2021-2022 માટે રજૂ કરાયેલા બજેટના પૈસા ક્યાંથી આવશે?- પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત સગર્ભા માતાઓને સહાય માટે રૂ.૬૬ કરોડની જોગવાઈ.
- ભારત સરકારના સહયોગથી ગોધરા અને મોરબી ખાતે બનાવવામાં આવનાર નવી મેડિકલ કોલેજના બાંધકામ અને હોસ્પિટલોને અપગ્રેડ કરવા માટે ૫૦ કરોડની જોગવાઈ.
- ખૂબજ લોકપ્રિય અને ઉપયોગી બનેલ ૧૦૮ એબ્યુલન્સ સર્વિસમાં હાલ ૬૨૨ એબ્યુલન્સ વાન કાર્યરત છે. નવી ૧૫૦ એબ્યુલન્સ વાન સેવારત કરવા રૂ. ૩૦ કરોડની જોગવાઈ.
- સુરત ખાતે કિડની હોસ્પિટલને અદ્યતન બનાવવા માટે સાધન સામગ્રી અને માનવ સંશાધન ઉપલબ્ધ કરાવવા માટે રૂ. ૨૫ કરોડની જોગવાઈ
- રસીકરણની કામગીરી સુચારુરૂપથી કરવા માટે રાજ્યકક્ષાએ ખાસ રસીકરણ સેલ ઉભો કરવામાં આવશે. વધુમાં ૯ જિલ્લામાં મેડિકલ વેક્સીન સ્ટોરના બાંધકામ માટે રૂ.૩ કરોડની જોગવાઇ.
- ૨૦ સિવિલ હોસ્પિટલો ખાતે આર્યુવેદિક પદ્ધતિથી પંચકર્મ સારવાર પૂરી પાડવા ડે-કેર પંચકર્મ સેન્ટર શરૂ કરવામાં આવશે.