Indian Air Force plane/ સાત વર્ષ પહેલા ગૂમ થયેલા ઈન્ડીયન એરફોર્સના વિમાનનો કાટમાળ મળ્યો

22 જુલાઈ 2016ના રોજ સવારે 8.30 વાગ્યે એરફોર્સનું એંટોનોવ એએન-32 વિમાન ચેન્નાઈના તાંબરમ એરફોર્સ સ્ટેશનથી રવાના થયું હતું.

India
પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 01 14T165001.835 સાત વર્ષ પહેલા ગૂમ થયેલા ઈન્ડીયન એરફોર્સના વિમાનનો કાટમાળ મળ્યો

22 જુલાઈ 2016માં સવારે ઈન્ડીયન એરફોર્સનનું એંટોનોવ એએન-32 વિમાન ચેન્નાઈથી પોર્ટ બ્લેર જવા રવાના થયું હતું. જેમાં ભારતીય સેનાના 29 જણા સવાર હતા. અંદાજે પોણા કલાક બાદ સવારે 9.15 વાગ્યે વિમાનથી તમામ પ્રકારનો સંપર્ક તુટી ગયો હતો.

8 સપ્તાહ સુધી આ વિમાન શોધવા માટે ભારતે સૌથી મોટુ સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું, જોકે વિમાનનો પતતો લાગ્યો ન હતો. હવે સાડા સાત વર્ષ બાદ અંડર વોટર વિહીકલને બંગાળની ખાડીમાં 3.5 કિલોમીટર નીચે વિમાનનો કાટમાળ મળ્યો છે. જે 2016માં ગાયબ થયેલા એંટોનોવ એએન-32 વિમાનનો જ છે.

22 જુલાઈ 2016ના રોજ સવારે 8.30 વાગ્યે એરફોર્સનું એંટોનોવ એએન-32 વિમાન ચેન્નાઈના તાંબરમ એરફોર્સ સ્ટેશનથી રવાના થયું હતું. આ વિમાનને પોર્ટ બ્લેરમાં તહેનાત આઈએનએસ ઉત્ક્રોસ ઉપર સવારે 11.45 વાગ્યે ઉતરવાનું હતું. આઈએનએસ ઉત્ક્રોસ પર સવાર જવાવો માટે આ વિમાન દર અઠવાડિયે જરૂરી સામાન પહોંચાડતું હતું.

આ વખતે વિમાન ઉપડ્યા બાદ અડધા કલાકમાં વિમાનનો કોંટ્રોલ રૂમથી સંપર્ક તૂટી ગયો. તે સમયે વિમાન બંગાળની ખાડી ઉપર હતું. રડાર પર આ વિમાનને શોધવાની કોશિષ કરવામાં આવી હતી પણ સફળતા મળી ન હતી. તાત્કાલિક તેની સુચના સુચના રક્ષા મંત્રાલય, નેવી અને એરફોર્સને આપવામાં આવી હતી,. સેટેલાઈટ્સના માધ્યમથી તેને શોધવાની કામગીર થઈ હતી પરંતુ વિનાનનો પતો લાગ્યો ન હતો.

22 જુલાઈના રોજ વિમાનને શોધવામાટે ઈન્ડીયન નેવી, કોસ્ટગાર્ડે સાથે મળીને એક ઓપરેશન શરૂ કર્યું હતું.જેમાં એક સબમરીન, જહાજ અને પાંચ એરકક્રાફ્ટ કામે લગાવવામાં આવ્યા હતા. ત્રણ દિવસ સુધી વિમાનનો પત્તો ન લાગતા અંતે આ સર્ચ ઓપરેશન માટે 16 જહાજ અને છ એરક્રાફ્ટ મોકલવામાં આવ્યા. જેમાં આ ટીમને બંગાળની ખાડીમાં ચેન્નાઈથી 277 કિમી. દુર પિર્વ દિશામાં મોકલવામાં આવી હતી.

એક મહિનાની તપાસ બાદ 1 ઓગસ્ટ 2016માં વાયુસેના અને નૌસેનાને ફક્ત એટલીજ માહિતી મલી હતી કે વિમાનમાં અંડરવોટર લોકેટર બીકન લગાવેલું ન હતું. જોકે તેમાં બે ઈમરજન્સી હતા.જોકે તેનો પતો ન લાગ્..જોકે 56 દિવસ બાદ આ સર્ચ ઓપરેશન બંધ કરી દેવાયુ હતું. સર્ચ ઓપરેશનમાં કંઈ હાથ ન લાગતા તેના પર સવાર તમામ 29 જણાના મોત થયા હોવાનું માની લેવાયું હતું. તેમના પરિવારને સેના તરફથી આ માહિતી આપવામાં આવી હતી.

દરમિયાન શુક્રવારે રક્ષા મંત્રાલયએ જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં એરપોર્સના એંટોવ એએન-32 વિમાનનો કાટમાળ મળ્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે તોડા સમય પહેલા સમુદ્ર પ્રૌદ્યોગિક સંસ્થાનએ રિમોટ કંટ્રોલથી ચાલતા અંડરવોટર વિહિકલને બંગાળની ખાડીમાં તપાસ માટે ઉતર્યું હતું.

ચેન્નાઈથી 310 કિમી. દૂર 3.4 કિલોમીટરના ઉંડાણણાંથી મોટો કાટમાળ મળ્યો હતો. તેની તપાસમાં ખબર પડી સાડા સાત વર્ષ પહેલા ગુમ થયેલા એંટોનોવ એએન-32 વિમાનનો આ કાટમાળ છે.

@નિકુંજ પટેલ



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Gandhinagar/ગાંધીનગર LCBની ટીમે દારૂનો જથ્થો ઝડપ્યો, હેરાફેરી માટે અજમાવી ગજબની તરકીબ

આ પણ વાંચો:Uttarayan celebration/કષ્ટભંજન હનુમાનજીને ઉત્તરાયણ તહેવાર નિમિત્તે પતંગોથી શણગારવામાં આવ્યા

આ પણ વાંચો:હળવદ શહેરમાં મકરસંક્રાતિ નિમિત્તે બાળકોને પતંગ, ફિરકીનું વિતરણ કરાયું