Helth/ શિયાળામાં ગંઠોડા ખાવાના છે આ ફાયદાઓ..

શિયાળો આવતાની સાથે જ આપણી ખાણી-પીણીમાં બદલાવ આવતા હોય છે. અને આ બદલાવ જરૂરી પણ છે. શિયાળાના અન્ય આહારની જેમ જ ગંઠોડા ખાવાથી પણ અનેક લાભ થાયછે

Health & Fitness Lifestyle
1 14 શિયાળામાં ગંઠોડા ખાવાના છે આ ફાયદાઓ..

શિયાળો આવતાની સાથે જ આપણી ખાણી-પીણીમાં બદલાવ આવતા હોય છે. અને આ બદલાવ જરૂરી પણ છે. શિયાળાના અન્ય આહારની જેમ જ ગંઠોડા ખાવાથી પણ અનેક લાભ થાયછે. આજના સમય માં દરેક ગૃહિણીઓ ના ઘરમાં ગંઠોડા કે પીપળી મૂળ હોય જ છે. ગંઠોડા એ લીંડીપીપર નામની વનસ્પતિ માં મૂળિયાં ની ગાંઠ છે. શરદી તથા ઉધરસ માં ગંઠોડા ની રાબ પીવાય છે. તેનો ઉપયોગ ચા-શાક ના ગરમ મસાલામાં પણ કરવામાં આવે છે.

 માસિક સ્ત્રાવ ની અનિયમિતતા માં તથા શરદી ના વિકારો માં ગંઠોડા નો ગોળ સાથે ઉકારો પીવામાં આવે છે. જયારે પ્રસૂતા સ્ત્રીઓ ના ગર્ભાશય અને યોનિમાર્ગ ને મૂળ સ્થિતી માં લાવવામાં  ઘી-ગોળમાં કરેલી રાબ ઉમદા ટોનિક જેવું કામ કરે છે. આ ઉપરાંત પણ ગંઠોડા ખાવાથી અનેક ફાયદા થાય છે.

અનિંદ્રાઃ આજના સમયમાં અનિદ્રાએ જટીલ બિમારી બની ગઇ છે. જેમાં ખાસ કરીને શિયાળાની ઠંડી મોસમમાં જો તમે અનિંદ્રાથી પીડાતા હોવ તો ગંઠોડા બેસ્ટ સાબિત થશે. ખૂબ વિચાર ,વાયુ કે વૃદ્ધાવસ્થા ને કારણે વાયુ વધી જવાથી ઊંઘ ઉડી જાય છે તો ગંઠોડા નું 2 ગ્રામ ચૂર્ણ ને ગોળ તથા ઘી સાથે લેવાથી સારી ઊંઘ આવે છે. એટલુ જનહીં  દુધ માં ખાંડ નાખી તેમાં ગંઠોડા નાખી પીવાથી પણ સારી ઊંઘ આવે છે.

કફની ઉધરસ તથા તાવઃ ગંઠોડા તથા સૂંઠ નું ચૂર્ણ બનાવી મધ સાતે લેવાથી શરદી અને કફ માં રાહત થાય છે. તથા તેની ગોળી બનાવી મોં માં રાખવાથી આરામ મળે છે.તેનું ચૂર્ણ મધ સાથે લાઇ ઉપર ગરમ દૂધ પીવાથી તાવ મટે છે.

અમ્લપિત્ત અને શ્વાસઃ ગંઠોડા ૨ ગ્રામ તથા ૩-૪ ગ્રામ સાકર મેળવી સવાર – સાંજ લેવાથી શ્વાસ નું દર્દ ઓછું થાય છે.પીપળી મૂળ નર ખરલમાં ૨૪ કલાક ઘૂંટી લાઇ તેમાંથી ૨ ગ્રામ દવા રોજ લેવાથી શ્વાસ નું દર્દ શમે છે.

ઉલટીઃ ગંઠોડા નું ચૂર્ણ અને સુંઠ સમાન ભાગે લેવાથી ઉલટી બંધ થાય છે.

હૃદયરોગઃ પીપળી મૂળ અને એલચી નું ચૂર્ણ બનાવી તેમાંથી 3 ગ્રામ દવા લઈ મધ સાથે લેવાથી કફજન્ય હદયરોગ મટે છે.

સોજા માટેઃ શરીરના કોઈપણ ભાગ પર કફ કે વાયુ ના સોજા માટે પીપળી મૂળ ને પાણી સાથે વાટી ગરમ કરીને લેપ કરવો જોઈએ તથા ચિત્રક,સૂંઠ નાખીને પાણી પીવાથી સમસ્યા દૂર થશે.

ધાવણ વધારવાઃ કાળા મરી અને ગંઠોડા ને પાણી સાથે વાટી તેને ગરમ દૂધ માં નાખી માતા ને રોજ પીવડાવવાથી ધાવણ માં વધારો થાય છે.

ગુણધર્મોઃઆયુર્વેદ ના મતે ગંઠોડા કે પીપળી મુળ સ્વાદે તીખા અને તીક્ષ્ણ હોય છે. તે પિતદોષ કરનાર ,વાયુ તથા કફ નાશક અને વાયુ વધારનાર છે. ખાસ કરીને તેનો ઉપયોગ શિયાળામાં વધારે કરવામાં આવે છે.