ગમખ્વાર અકસ્માત/ દ્વારિકાના ભાણવડ નજીક છકડો રિક્ષા પુલ પરથી નીચે ખાબકી, ત્રણના કરુણ મોત

ભાણવડના રોજીવાળા પાસે પુલ પરથી છકડો રિક્ષા નીચે ખાબકતા અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે

Top Stories Gujarat Others
છકડો રિક્ષા
  • દ્વારિકાના ભાણવડ નજીક અકસ્માતમાં ત્રણના મોત
  • 8 ઇજાગ્રસ્તોને જામનગર અને ખંભાળિયા રીફર કરાયા
  • છકડો રિક્ષા પુલ પરથી નીચે ખાબકતા 3ના મોત
  • ભાણવડ તાલુકાના જામ રોજીવાળા ગામે બની ઘટના
  • માલવાહક ચાકડો રિક્ષામાં ભર્યા હતા પેસેન્જર

ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટના અટકવાનું નામ જ નથી લઇ રહી, એક પછી એક માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.

દ્વારિકાના ભાણવડ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે.જેમાં ત્રણ લોકોના કરુણ મોત નીપજ્યા છે. જયારે આઠ લોકો ઘાયલ હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, ભાણવડના રોજીવાળા પાસે પુલ પરથી છકડો રિક્ષા નીચે ખાબકતા અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે જ્યારે આઠ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે.

ઘાયલ લોકોને ખંભાળીયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા ઇન્ચાર્જ એસપી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો છે.

આ પણ વાંચો:અમદાવાદમાં પહેલી જ વખત ઓવરબ્રિજ બનાવતા પહેલા આરસીસી રોડ બનાવી દેવાનો નવતર પ્રયોગ

આ પણ વાંચો:2016થી 2023 સુધીમાં સીટી બસ અને BRTS બસના અકસ્માતમાં 86 લોકોના મોત

આ પણ વાંચો:મુક્તિ ધામ કે નશાનું ધામ? ડાઘુઓ પણ આ દ્રશ્યો જોઈને ડઘાઈ ગયા

આ પણ વાંચો:રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં સજા સંભળાવનાર સુરતના ચીફ જજનું પ્રમોશન સાથે રાજકોટમાં ટ્રાન્સફર

આ પણ વાંચો:ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર, 30 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાયની જાહેરાત