વડોદરા/ ડભોઇ નજીક સર્જાઈ ટ્રેન દુર્ઘટના, SOUથી આવતી ટ્રેન નીચે કપાયા 3 વ્યક્તિ

ડભોઇ નજીક એક મોટી ટ્રેન દુર્ઘટના ઘટી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે, જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પરત વડોદરા જઈ રહેલી ટ્રેનની અડફેટે…

Gujarat Vadodara
ડભોઇ

વડોદરા જીલ્લાના ડભોઇ નજીક એક મોટી ટ્રેન દુર્ઘટના ઘટી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે, જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પરત વડોદરા જઈ રહેલી ટ્રેનની અડફેટે મોડી રાત્રે ત્રણ લોકો કપાયા હતા અને આ ઘટનામાં બે લોકોના મોત થયા છે.

આ પણ વાંચો :લિવ-ઈન પાર્ટનર સાથે લગ્ન કરવાની ના પાડતા 20 વર્ષના યુવકની કરાઇ હત્યા  

આ અંગે મળતી વિગતો મુજબ, આ ઘટના વડોદરા જીલ્લાના ડભોઇ તાલુકાના સંત પુરી વિસ્તાર નજીક બની હતી, જ્યાં બુધવારે મોડી રાત્રે ત્રણ લોકો રેલ્વે ક્રોસ કરી રહ્યાં હતા, જે દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ડભોઇ આવેલી મેમુ ટ્રેનની અડફેટે ત્રણ લોકો કપાયા હતા. જેમાં બે વ્યક્તિના મોત થયા છે, જયારે એક વ્યક્તિ સારવાર હેઠળ છે. આ ઘટના બાદ રેલવે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :સુરતમાં જનતાએ મમતા લજવી, ખેતરમાંથી મળી આવ્યું 7 દિવસના બાળક

તમને જણાવી દઈએ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટ શરુ થયા બાદ ત્યાં આવતા પ્રવાસીઓની અવરજવર ખુબ વધી છે, ત્યારે હાલમાં જ અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના રેલમાર્ગને શરુ કરવામાં આવ્યો છે અને આ તમામ ટ્રેનો વડોદરાના ડભોઇ રેલવે સ્ટેશનથી પસાર થાય છે. જેમાં આ પ્રકારની ઘટના બનતા પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો :ઉત્તર ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી, વિજાપુરમાં મહિલા થઈ સંક્રમિત

આ પણ વાંચો :  ગોંડલના મોવિયા શ્રીનાથગઢ રોડ પર છોટા હાથી મેટાડોર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બે વૃદ્ધોના મોત

આ પણ વાંચો :ડિટરજન્ટ પાવડર લેવા ગયેલી આઠ વર્ષની બાળકીને દુકાનમાં બોલાવી સગીરે બનાવ્યો હવસનો શિકાર