વડોદરા,
વડોદરા માંજલપર વિસ્તારમાં સાઇ ચોકડી નજીક પાણીની પાઇપલાઇન ભંગાણ થતા સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે, કોર્પોરેશનની બેદરકારીના કારણે પીવાના પાણીના પાઇપલાઇનમાં ભંગાણ થાય છે.
એક તરફ અમુક વિસ્તારોમાં લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. ત્યારે તંત્રની બેદરકારીના લીધે પાઇપલાનમાં વારંવાર ભંગાણ થાય છે અને જેના હજારો લીટર પાણી તો ફેડવાય છે. સાથે સાથે સ્થાનિક લોકો પણ પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે.