- ICC વર્લ્ડ કપને લઇ અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું
- 5 થી 19 ઓક્ટોબર દરમિયાન રમાનાર મેચોને લઇ જાહેરનામું
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર 5 મેચોને લઇ જાહેરનામું
- મેચ દરમિયાન ટ્રાફિક નિવારણ માટે વૈકલ્પિક રૂટ અપાયા
- જનપથથી મોટેરા સ્ટેડિયમ સુધીના રસ્તા પર પ્રવેશ નિષેધ
- મેચ દરમિયાન તપોવન સર્કલથી અપાયો વૈકલ્પિક માર્ગ
Ahmedabad News: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ICC ક્રિકેટ વર્લ્ડકપની શરૂઆત 5 ઓક્ટોબરથી થવા જઈ રહી છે.જણાવીએ કે, વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપની ફાઈનલ મેચ ઉપરાંત 5 મેચો રમાવાની છે. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પણ સામેલ છે. આવામાં અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા વિશેષ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે આ મેચ
- 5 ઓક્ટોબર (ઈંગ્લેન્ડ Vs ન્યૂઝીલેન્ડ)
- 14 ઓક્ટોબર (ભારત Vs પાકિસ્તાન)
- 4 નવેમ્બર (ઈંગ્લેન્ડ Vs ઓસ્ટ્રેલિયા)
- 10-નવેમ્બર (સાઉથ આફ્રિકા Vs અફઘાનિસ્તાન)
- 19 નવેમ્બરે ફાઈનલ મેચ
અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલું જાહેરનામું આ 5 દિવસ દરમિયાન સવારે 11 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી અમલમાં રહેશે. જ્યારે આ જાહેરનામાનો ભંગ કરનારા વિરુદ્ધ કાયદેસરના પગલા લેવામાં આવશે.
આ મેચો જોવા માટે VVIP ઉપરાંત મોટી સંખ્યામાં દર્શકો તેમજ ખેલાડીઓ અને સેલિબ્રિટીને જોવા માટે એકઠી થતી આમ જનતા વચ્ચે વાહનોની અવર-જવર અને ટ્રાફિક સરળતાથી પસાર થાય તેમજ માર્ગ અકસ્માતો નિવારવા માટે કેટલાર રસ્તાઓ પર અવરજવર બંધ કરવામાં આવી છે, તો કેટલાક રૂટ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લી. દ્વારા અમદાવાદમાં રમાનાર મેચનાં દિવસે ટાઈમમાં ફેરફાર કર્યો છે. જેમાં 5 તેમજ 14 ઓક્ટોમ્બરનાં રોજ મેટ્રો ટ્રેન સવારે 6.20 થી મધ્યરાત્રિ 1 કલાક સુધી ચાલુ રહેશે. જ્યારે 4,10,19 નવેમ્બરનાં રોજ મેટ્રો ટ્રેન 6.20 થી 1.00 કલાક સુધી કાર્યરત રહેશે.
આ પણ વાંચો:પરિણીતાના શંકાસ્પદ મોતને લઇ બિચકયો મામલો, પોલીસે વચ્ચે પડી કર્યું એવું કે…
આ પણ વાંચો:સુરત એરપોર્ટ પર લેન્ડ કરતા સમયે પ્લેનના ટાયરની હવા નીકળી, સદનસીબે મોટી દુર્ઘટના ટળી
આ પણ વાંચો:જૂની પેંશન યોજનાની માગ સાથે શિક્ષકો વિરોધ પ્રદર્શન
આ પણ વાંચો:વીજતાર તૂટી પડતાં ઘટી મોટી દુર્ઘટના, પુત્રીને બચાવવા જતા પિતાનું મોત