Panchmahal/ ભઠ્ઠામાં નાના બાળકો ભણવાની જગ્યાએ કરી રહ્યા છે કાળી મજૂરી, શું આમ ભણશે ગુજરાત…?

ભઠ્ઠામાં નાના બાળકો ભણવાની જગ્યાએ કરી રહ્યા છે કાળી મજૂરી, શું આમ ભણશે ગુજરાત…?

Top Stories Gujarat Others
dabeli 17 ભઠ્ઠામાં નાના બાળકો ભણવાની જગ્યાએ કરી રહ્યા છે કાળી મજૂરી, શું આમ ભણશે ગુજરાત...?

@મોહસીન દાલ, પંચમહાલ

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં ૨૦ કરતા વધુ અવેદ્ય ઈંટોના ચીમની ભઠ્ઠાઓ ચાલી રહ્યા છે.આ ઈંટોના ચીમની ભઠ્ઠાઓમાં નાના બાળકો ભણવાની જગ્યાએ કરી રહ્યા છે કાળી મજૂરી ત્યારે કાલોલ તાલુકા તંત્ર કુંભકર્ણની નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે.

કાલોલ તાલુકાના અંતરીયાળ ગામોમાં ઈંટોના ચીમની ભઠ્ઠાઓ ધમધમી રહ્યા છે ત્યારે આ ભઠ્ઠાઓ સ્થાનિક પ્રશાસનની રહેમ નઝર હેઠળ ચાલતા હોય તેવું લાગી રહ્યું છે કેમકે આ ઈંટોના ચીમની ભઠ્ઠાઓમાં ઈંટો બનાવવાની પ્રક્રિયામાં માટીને ભીની કરવા માટે નાના ભૂલકાઓ દ્વારા પાણી ઉલેચી ઉલેચીને નાખવામાં આવે છે.

Gujarat / કોરોના દર્દીઓના જીવ બચાવવામાં વોરિયર્સની ભૂમિકા ભજવતાં 47 તબ…

તેમજ ઈંટોનો સીધી કરવા માટે પણ નાના ભૂલકાઓ જોડે કાળી મજૂરી કરાવવામાં આવે છે. તેમજ આ ચીમની ભઠ્ઠાઓના માલિકો દ્વારા માટી કાઢવાની પરમિશન લઈને અલગ અલગ જગ્યાઓ પરથી ગેરકાયદે માટી કાઢીને રોયલ્ટી ચોરી કરીને સરકાર સાથે પણ છેતરપીંડી આચરી રહ્યા હોય તેવું દેખાય રહ્યું છે. અને ચીમનીમાં કાચી ઈંટોને પકવવા માટે કોલસીની જગ્યાએ કેમિકલ અને રબર વેસ્ટનો ઉપયોગ કરીને પ્રદૂષણ ફેલાવી રહ્યા છે.

કૃષિ આંદોલન / કેન્દ્ર સરકારને આંચકો, સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદાના અમ…

Announcement / ગુજરાતમાં વર્લ્ડ ક્લાસ નવી ટૂરિઝમ પોલીસીની જાહેરાત કરતા CM ર…

તેમ છતાં ગ્રામ પંચાયત અને સ્થાનિક પ્રશાસન તેમજ ખાણ ખનીજ અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પણ ઉંઘી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.ત્યારે આ આ ચીમની ભઠ્ઠામાં ગેરકાયદે રીતે બનાવવામાં આવતી ઈંટોનું સામ્રાજ્ય ચલાવતા ભઠ્ઠાઓના માલિકો સામે સ્થાનિક પ્રશાસન દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેવું ગામ લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…