ભાવનગર મનપા કમિશનર દ્વારા 20 દિવસમાં 900 કરતાં પણ વધારે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. જેમાં 143 કેબિન ગલ્લા, 293 લારી, 65 કરતાં વધારે શેડ, 116 ગેરકાયદેસર દુકાનમાં આગળ કાઢેલ ઓટલા અને 47 પઠાણા જેવા વિવિધ દબાવો દૂર કરવામાં આવ્યા હતા. ત્યારે ગત એક વર્ષની વાત કરીએ તો એક વર્ષમાં 153 કેબિન ગલ્લા અને માત્ર 170 લારીઓ હટાવવામાં આવી હતી.
ભાવનગર મહાનગરપાલિકામાં કમિશનર ની ગેરકાયદેસર દબાણ વિરુદ્ધ ની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે મનપાના કમિશનરે ચાર્જ લીધા બાદ માત્ર 20 દિવસની કામગીરી ના આંકડા જોતા એસ્ટેટ વિભાગના એક વર્ષની કામગીરી સામે સવાલોઠે તેવી સ્થિતિ જોવા મળે છે.
ભાવનગર મનપા કમિશનર દ્વારા 20 દિવસ માં 900 કરતાં પણ વધારે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે જેમાં 143 કેબિન ગલ્લા 293 લારી 65 કરતાં વધારે શેડ 116 ગેરકાયદેસર દુકાનમાં આગળ કાઢેલ ઓટલા અને 47 પઠાણા જેવા વિવિધ દબાવો દૂર કરવામાં આવ્યા હતા ત્યારે ગત એક વર્ષની વાત કરીએ તો એક વર્ષમાં 153 કેબિન ગલ્લા અને માત્ર 170 લારીઓ હટાવવામાં આવી હતી ક્યારે આંકડાના તફાવતની વાત કરીએ તો કોર્પોરેશનના ગત એક વર્ષના જે કામ કરવામાં આવ્યું છે તે કામ માત્ર 25 દિવસમાં મનપા કમિશનર દ્વારા કરવામાં આવ્યું હતું.
ભાવનગર મહાનગરપાલિકામાં કમિશનરના ચાર્જ લીધા બાદ શહેરમાં જાહેર રસ્તા અને રાહદારીને ચાલવા ફૂટપાથ પર ગેરકાયદેસર દબાવો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે વિરોધ પક્ષે પણ કામગીરીને બિરદાવી રહી છે પરંતુ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરમાં મસમોટા દબાણો કરીને બેઠેલા મોટા માથાઓ વિરુદ્ધમાં પણ કામગીરી કરવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી છે.
આ પણ વાંચો:અમેરિકાએ તોડી પાડ્યું ચીનનું ‘જાસૂસી’ બલૂન, 3 એરપોર્ટ રાખ્યા હતા બંધ, ચીને કર્યો જોરદાર વિરોધ
આ પણ વાંચો:અમૂલ બાદ હવે પરાગે પણ વધાર્યા ભાવ, જાણો હવે કેટલામાં મળશે 1 લીટર દૂધ
આ પણ વાંચો:05 ફેબ્રુઆરી 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…