અમદાવાદ જીલ્લા પ્રસાશન પર કોરોનાનું વાદળ ફાટ્યું હોય તેવા થથરાવી દેતા સમાચાર સામે આવી રહ્યા છે. જી હા અમદાવાદ કલેકટર કચેરીનાં 11 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો હોવાની પુષ્ટી મળી રહી છે. અમદાવાદ કલેકટર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર દિનેશ રાવલનું કોરોનાનાં કારણે મૃત્યુ નિપજ્યું હોવાની ઘટનાની સાથે સાથે અન્ય ત્રણ મામલતદારને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, મરણજનાર નાયબ મામલતદાર દિનેશ રાવલ 15 દિવસથી કોરોનાનો સામે જંગ લડી કોરોનાનો સામનો કરી રહ્યાં હતા.
જો કે, ગઇકાલે મરણજનાર નાયબ મામલતદાર દિનેશ રાવલની તબિયત અચાનક લથડી હતી અને સારવાર દરમિયાન જ તેમનું મોત નિપજ્યું હતું. સાથે સાથે એક એડિશનલ કલેકટર પણ સ્ટ્રેસને કારણે રજા પર ઉતરી ગયા હોવાની વિગતો સામે આવી રહી છે.
આ સિવાય કોરોનાએ પોતાનો કહેર વરસાવી જીલ્લા કલેક્ટર કચેરીનાં અનેક અધિકારીઓ અને કર્મચારીઓને પોતાની ઝપેટમાં લઇ લીધા છે. એક સાથે 11 કર્મચારીના કોરોના પોઝિટિવ આવતા તંત્ર પણ અવાચક બની ગયુ છે.
રેસિડેન્ટ એડિશનલ કલેકટરનાં પી.એને પણ કોરોના ઝપેટમા આવી ગયાનું સામે આવી રહ્યું છે. કોરોનાનાં કહેરથી કલેકટર કચેરીમાં ભયનું વાતાવરણ સર્જાયુ હોવનું જોવામાં આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….