કોરોના કાળ દરમિયાન આજે તલોદથી દુખદ સમાચાર સામે આવ્યા છે. ગઈ કાલે દશામાં ના વ્રતનું જાગરણ કરી સવારે મૂર્તિને વિસર્જન કરતા સમય યુવક તળાવમાં ડૂબ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. તળવા યુવક ડૂબ્યો હોવાનું જાણવા મળ્યા ઘટના સ્થળે લોકો એકઠા થઇ ગયા હતા. જે બાદ આ મામલે પોલીસ અને ફાયરબ્રિગેડને જાણ કરવા આવતા પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવી યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
આપને જણાવી દઈએ કે, સાબરકાંઠાના તલોદ મહિયલ ગામના દશામાંની મૂર્તિ વિસર્જન કરતા સમયે યુવક તળાવમાં ડૂબ્યો હતો. યુવકનું તળાવમાં ડૂબી જવાથી મોત થતા યુવકનો પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. બીજી બાજુ ફાયર બ્રિગેડ દ્વારા યુવકના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.